Site icon

Ganesh Chaturthi: અમદાવાદનો આ પરિવાર બનાવે છે ત્રણ પેઢીથી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ, જે POPથી બનેલી મૂર્તિઓ કરતાં પણ વધુ હોય છે ટકાઉ.

Ganesh Chaturthi: ગણેશ ઉત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે આજે અમદાવાદના એક એવા પરિવારની વાત કરવી છે જેઓ ત્રણ પેઢીથી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બનાવે છે.આવો જાણીએ અમારા આ વિશેષ અહેવાલમાં.

This family from Ahmedabad has been making eco-friendly Ganesha idols for three generations

This family from Ahmedabad has been making eco-friendly Ganesha idols for three generations

News Continuous Bureau | Mumbai

Ganesh Chaturthi:  ગણેશ ઉત્સવના દિવસોમાં ભક્તો પોતાના ઘર, મહોલ્લા, શેરી અને જાહેર સ્થળોએ ગણપતિ બાપ્પાની મૂર્તિની ( Ganesh Idols )  સ્થાપના કરે છે ત્યારે હાલમાં સમગ્ર દેશમાં ઇકો-ફ્રેન્ડલી ચીજવસ્તુઓની માંગ વધી રહી છે. અમદાવાદમાં ( Ahmedabad ) રહેતો એક પરિવાર ત્રણ પેઢીઓથી ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી રહ્યો છે. વિજયભાઈ નાઈક ત્રીજી પેઢીના કારીગર છે જે માટીમાંથી ભગવાન ગણેશની  મૂર્તિઓ બનાવે છે. જેની વિશેષતાઓની વાત કરીએ તો આ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓ કરતાં પણ વધુ ટકાઉ હોય છે.  

Join Our WhatsApp Community

Ganesh Chaturthi:  અમદાવાદમાં મુર્તિ ખરીદી કરવા આવનાર ગ્રાહકો પણ હવે માટીની મૂર્તિઓ વધુ સારો વિકલ્પ ગણીને પસંદગી કરી રહ્યા છે.

આ વર્ષે વિજયભાઈ ( Vijay Naik ) અને તેમની ટીમે 12 ફૂટની વિશાળ ગણેશ મૂર્તિ બનાવી છે. તેને બનાવવામાં લગભગ 20 દિવસનો સમય લાગ્યો હતો. આ માટીની મુર્તિમાં નાળિયેરના રેસાનો ઉપયોગ મુર્તિના હાથ અને ગળાના ભાગને મજબૂત કરવા માટે થાય છે. ઈકો ફ્રેન્ડલી ( Eco-friendly idols )  અભિયાન આ રીતે વેગવાન બન્યું છે સાથે જ સ્થાનિક કારીગરોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો:  Droupadi Murmu: આ પાંચ રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પોતાના ઓળખપત્રો કર્યા રજૂ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Exit mobile version