News Continuous Bureau | Mumbai
Train Cancel Update: દક્ષિણ પૂર્વ રેલવેમાં ખડગપુર મંડળના સાંતરાગાછી સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના સંબંધમાં નૉન ઈન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ અને પોરબંદર-સાંતરાગાછી કવિગુરૂ એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે :-
*રદ ટ્રેનો*
1. 16 મે 2025 ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ રદ રહેશે.
2. 17 મે 2025 ના રોજ હાવડાથી ચાલનારી ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
3. 9 મે 2025 ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી કવિગુરૂ એક્સપ્રેસ રદ રહેશે.
4. 11 મે 2025 ના રોજ સાંતરાગાછીથી ચાલનારી ટ્રેન નંબર 12950 સાંતરાગાછી-પોરબંદર કવિગુરૂ એક્સપ્રેસ રદ રહેશે.
Train Cancel Update: રિશિડ્યુલ ટ્રેન
• 16 મે 2025 ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી એક્સપ્રેસ 2 કલાક રિશિડ્યુલ રહેશે.
ટ્રેનોના સમય, રોકાણ અને સંરચનાની વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.