Site icon

UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ

UTS App: હવે અનરિઝર્વ્ડ ટિકિટ માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં

UTS App and ATVM Make Ticket Booking Easier

UTS App and ATVM Make Ticket Booking Easier

News Continuous Bureau | Mumbai

યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ સરળ અને સુગમ બનાવી દેવામાં આવી છે. હવે યાત્રીઓને જનરલ ટિકિટ (અનરિઝર્વ્ડ ટિકિટ) લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી.
રેલવેએ યાત્રીઓને બે સુવિધા આપી છે – યૂટીએસ મોબાઈલ એપ (UTS App) અને ઑટોમેટિક ટિકિટ વિતરણ મશીન (ATVM). આ બંને માધ્યમોથી યાત્રી પોતે ટિકિટ બુક કરી શકે છે, જેનાથી સમય અને ધન બંનેની બચત થાય છે.

Join Our WhatsApp Community

યૂટીએસ એપ (UTS APP) ની વિશેષતાઓ:

• યાત્રી પોતાના મોબાઈલ ફોનથી ઘેર બેઠા જ ટિકિટ બુક કરી શકે છે.
• યાત્રા ટિકિટ, સીઝન ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ.
• ચુકવણી માટે UPI, ડેબિટ/ક્રેડિટ તથા R-Wallet નો વિકલ્પ ઉપલબ્ધ.
• R-Wallet રિચાર્જ પર 3% બોનસ રકમ મેળવો.
• ટિકિટ બારી પર લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં.
• સમય અને પૈસાની બચત.
• છુટ્ટા પૈસાની સમસ્યા નહીં.
• પેપરલેસ ટિકિટની સુવિધા, જે પર્યાવરણને અનુકૂળ છે.

આ સમાચાર પણ વાંચો : Sharadiya Navratri: સૂર્યગ્રહણના પડછાયામાં શરૂ થશે નવરાત્રી, જાણો ક્યારે અને કેવી રીતે થશે ઘટસ્થાપના.

એટીવીએમ (ATVM) ની વિશેષતાઓ:

• યાત્રી સ્ટેશન પર આવેલા ATVM મશીનથી પોતે ટિકિટ બુક કરી શકે છે.
• યાત્રા ટિકિટ, સીઝન ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ.
• ચુકવણી માટે UPI QR કોડ તથા રેલવે સ્માર્ટ કાર્ડની સુવિધા.
• રેલવે સ્માર્ટ કાર્ડ રિચાર્જ પર 3% બોનસ રકમ મેળવો.
• ટિકિટ બારીની લાંબી લાઈનોથી મુક્તિ.
• સમય અને પૈસા બંનેની બચત.
• છુટ્ટા પૈસાની સમસ્યા નહીં.

પશ્ચિમ રેલવે યાત્રીઓને અનુરોધ કરે છે કે તેઓ આ આધુનિક સુવિધાઓનો લાભ ઉઠાવે અને પોતાની યાત્રાને સરળ અને સુવિધાજનક બનાવે. યૂટીએસ એપ અને એટીવીએમ મારફતે બુકિંગ કરીને યાત્રી ફક્ત પોતાનો સમય જ નથી બચાવી શકતા, પરંતુ ડિજિટલ ઈન્ડિયા અભિયાનમાં સહભાગી પણ બની શકે છે.

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version