Western Railway : અમદાવાદ મંડળના આદરજ મોટી સ્ટેશન પર 10 માર્ચ 2025 ના રોજ લેવાશે બ્લોક, આ ટ્રેનો થશે રદ્દ ; જુઓ યાદી..

Western Railway : અમદાવાદ મંડળના ખોડિયાર-ગાંધીનગર કેપિટલ-કલોલ રેલવે સેક્શનના આદરજ મોટી સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે 10 માર્ચ 2025 ના રોજ સૂચિત બ્લોકને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

by kalpana Verat
Western Railway: Block will be taken up on 10 March 2025 at Adarj Moti station of Ahmedabad division

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ખોડિયાર-ગાંધીનગર કેપિટલ-કલોલ રેલવે સેક્શનના આદરજ મોટી સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે 10 માર્ચ 2025 ના રોજ સૂચિત બ્લોકને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે :- 

Western Railway : રદ ટ્રેનો 

1. ટ્રેન નંબર 69207 ગાંધીનગર કેપિટલ-વરેઠા મેમૂ 9 અને 10 માર્ચ 2025 ના રોજ રદ રહેશે.
2. ટ્રેન નંબર 69208 વરેઠા-ગાંધીનગર કેપિટલ મેમૂ 10 અને 11 માર્ચ 2025 ના રોજ રદ રહેશે

Western Railway : પરિવર્તિત માર્ગથી ચાલનારી ટ્રેનો

1. 10 માર્ચ 2025 ના રોજ સાબરમતીથી ચાલનારી ટ્રેન નંબર 19031 સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ખોડિયાર-ગાંધીનગર કેપિટલ-કલોલને બદલે પરિવર્તિત માર્ગ ખોડિયાર-કલોલના રસ્તે ચાલશે તથા ગાંધીનગર કેપિટલ જશે નહીં. 

2. 09 માર્ચ 2025 ના રોજ યોગનગરી ઋષિકેશથી ચાલનારી ટ્રેન નંબર 19032 યોગનગરી ઋષિકેશ-સાબરમતી યોગા એક્સપ્રેસ નિર્ધારીત માર્ગ કલોલ-ગાંધીનગર કેપિટલ-ખોડિયારને બદલે પરિવર્તિત માર્ગ ખોડિયાર-કલોલના રસ્તે ચાલશે તથા ગાંધીનગર કેપિટલ જશે નહીં. 

3. 10 માર્ચ 2025 ના રોજ દિલ્લી સરાય રોહિલ્લાથી ચાલનારી ટ્રેન નંબર 12215 દિલ્લી સરાય રોહિલ્લા-બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ કલોલ-ગાંધીનગર કેપિટલ-ખોડિયારને બદલે પરિવર્તિત માર્ગ ખોડિયાર-કલોલના રસ્તે ચાલશે તથા ગાંધીનગર કેપિટલ જશે નહીં.

4. 10 માર્ચ 2025 ના રોજ વલસાડથી ચાલનારી ટ્રેન નંબર 20959 વલસાડ-વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ખોડિયાર-ગાંધીનગર કેપિટલ-કલોલને બદલે પરિવર્તિત માર્ગ ખોડિયાર-કલોલના રસ્તે ચાલશે તથા ગાંધીનગર કેપિટલ જશે નહીં.

5. 10 માર્ચ 2025 ના રોજ વડનગરથી ચાલનારી ટ્રેન નંબર 20960 વડનગર-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ કલોલ-ગાંધીનગર કેપિટલ-ખોડિયારને બદલે પરિવર્તિત માર્ગ ખોડિયાર-કલોલના રસ્તે ચાલશે તથા ગાંધીનગર કેપિટલ જશે નહીં. 

આ સમાચાર પણ વાંચો : Mumbai Local Update : લોકલ યાત્રી યાત્રી કૃપયા ધ્યાન દે.. કસારામાં ગર્ડર નાખવા માટે શનિવારે રાત્રે અને રવિવારે સવારે મધ્ય રેલવેનો પાવર બ્લોક; ચેક કરો શેડ્યુલ..

યાત્રીઓને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સમય, રોકાણ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, યાત્રી કૃપા કરીને  www.enquiry.indianrail.gov.in  અવલોકન કરી શકે છે. 
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More