Site icon

Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*

પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડના સૂચનાનુસાર તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મુકવામાં આવી રહ્યો છે.

Western Railway તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર અમદાવાદ મંડળમાંથી ચાલતી

Western Railway તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર અમદાવાદ મંડળમાંથી ચાલતી

News Continuous Bureau | Mumbai

Western Railway પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડના સૂચનાનુસાર તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મુકવામાં આવી રહ્યો છે. હવે તત્કાલ ટિકિટ માત્ર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) ના સત્યાપન બાદ જ જારી કરવામાં આવશે. આ ઓટીપી તે મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે, જે મુસાફરે બુકિંગ સમયે આપ્યો હશે. ઓટીપી નું સફળ સત્યાપન થયા પછી જ ટિકિટ જારી કરવામાં આવશે.

Join Our WhatsApp Community

*આ OTP-આધારિત તત્કાલ પ્રમાણિકરણ પ્રણાલી 24 ડિસેમ્બર, 2025 થી નીચેની 3 ટ્રેનોમાં લાગુ કરવામાં આવશે:*
1. ટ્રેન નં. 14702 બાંદ્રા ટર્મિનસ-શ્રીગંગાનગર અરવલી એક્સપ્રેસ
2. ટ્રેન નં. 19483 અમદાવાદ-સહરસા એક્સપ્રેસ
3. ટ્રેન નં. 22956 ભુજ-બાંદ્રા ટર્મિનસ કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ

*અમદાવાદ ડિવિઝન પર OTP-આધારિત તત્કાલ પ્રમાણીકરણ સિસ્ટમ નીચેની ટ્રેનોમાં પહેલાથી લાગુ છે.*
1. ટ્રેન નં. 19223 સાબરમતી-જમ્મુ તાવી એક્સપ્રેસ
2. ટ્રેન નં. 19316/19315 અસારવા-ઇન્દોર વીરભૂમિ એક્સપ્રેસ
3. ટ્રેન નં. 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ
4. ટ્રેન સંખ્યા 12957 સાબરમતી – નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ
5. ટ્રેન સંખ્યા 12297 અમદાવાદ–પુણે દૂરંતો એક્સપ્રેસ
6. ટ્રેન સંખ્યા 12462 સાબરમતી–જોધપુર વંદે ભારત એક્સપ્રેસ
7. ટ્રેન સંખ્યા 12268/12267 હાપા–મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસ
8. ટ્રેન સંખ્યા 12009/12010 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ શતાબ્દી

આ સમાચાર પણ વાંચો : ISRO, LVM3-M6 Mission Success: ઈસરોના ‘બાહુબલી’ રોકેટે રચ્યો ઈતિહાસ: દુનિયાનો સૌથી મોટો કોમર્શિયલ સેટેલાઈટ કર્યો લોન્ચ; હવે સ્પેસમાંથી સીધું સ્માર્ટફોન પર મળશે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ.

નવી પ્રણાલી કોમ્પ્યુટરાઈઝ્ડ પીઆરએસ કાઉન્ટરો, અધિકૃત એજન્ટો, આઈઆરસીટીસી વેબસાઈટ તેમજ આઈઆરસીટીસી મોબાઇલ એપ્લિકેશન મારફતે કરવામાં આવેલી તમામ તત્કાલ બુકિંગ પર લાગુ પડશે.
મુસાફરોને વિનંતી છે કે તેઓ બુકિંગ સમયે માન્ય મોબાઇલ નંબર અવશ્ય ઉપલબ્ધ કરાવે, જેથી ઓટીપી સત્યાપન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે. પશ્ચિમ રેલ્વે દ્વારા તમામ મુસાફરોને આ મહત્વપૂર્ણ બદલાવ અંગે ધ્યાન આપવા વિનંતી કરવામાં આવે છે.


Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Exit mobile version