News Continuous Bureau | Mumbai
Western Railway: ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ–તિરુચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ. ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરુચિરાપલ્લી સ્પેશિયલ 02 જાન્યુઆરી 2025 થી આગળની સૂચના સુધી દર ગુરુવારે અમદાવાદથી 09:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે (શનિવારે) 03:45 કલાકે તિરુચિરાપલ્લી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ, 05 જાન્યુઆરી, 2025 થી આગળની સૂચના સુધી દર રવિવારે તિરુચિરાપલ્લીથી 05:40 કલાકે ઉપડશે અને બીજા દિવસે (સોમવારે) 21:15 કલાકે અમદાવાદ પહોંચશે.
આ સમાચાર પણ વાંચો: 01 જાન્યુઆરી 2025થી અમદાવાદ ડિવિઝન પર નવું ટાઈમ ટેબલ લાગુ
માર્ગમાં બંને દિશાઓ માં, આ ટ્રેન વડોદરા, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલબુરગી, વાડી, રાયચુર, મંત્રાલયમ, ગુંટાકલ, તાડીપત્રી, કડપા , રેણીગુંટા, અરાકોણમ, પેરમ્બુર, ચેન્નાઈ એગમોર, તાંબરમ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ, કડલુર પોર્ટ, ચિદમ્બરમ, શિરકાશી, વૈદ્દીશ્વરનકોઈલ, મઈલાડુતુરૈ, કુંભકોણમ,પાપનાશમ અને તંજાવુર સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-તિરુચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલટ્રેન નંબર 09419 નું બુકિંગ 29 ડિસેમ્બર 2024 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઇઆરસીટીસી વેબસાઇટ પરશરુ થશે. ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.