News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-પાલનપુર સેક્શનના પાલનપુર-ઉમરદશી સ્ટેશનો ની વચ્ચે અપ લાઇન કિમી 658/33-35 પર બ્રિજ નં. 880 ના પુનર્નિર્માણના સંદર્ભમાં એન્જિનિયરિંગ કાર્ય માટે માર્ચ 2025 ના રોજ પ્રસ્તાવિત બ્લોકને કારણે ત્રણ ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ થી દોડશે પરિવર્તિત માર્ગ થી ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે:-
પરિવર્તિત માર્ગ થી ચાલનારી ટ્રેનો : –
1. 18 માર્ચ 2025 ના રોજ સાબરમતી થી ચાલનારી ટ્રેન નંબર 19031 સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા-ઊંઝા-સિદ્ધપુર-પાલનપુર ના બદલે પરિવર્તિત માર્ગ વાયા મહેસાણા પાટણ-ભીલડી-પાલનપુર ના રસ્તે ચાલશે અને ઊંઝા અને સિદ્ધપુર-સ્ટેશનો પર જશે નહી.
2. 18 માર્ચ 2025 ના રોજ ગાંધીનગર કેપિટલથી ચાલનારી ટ્રેન નં. 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ, નિર્ધારિત માર્ગ મહેસાણા-ઊંઝા-સિદ્ધપુર-પાલનપુર ના બદલે પરિવર્તિત માર્ગ મહેસાણા-પાટણ-ભિલડી-પાલનપુર ના રસ્તે ચાલશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર જશે નહીં.
3. 17 માર્ચ 2025 ના રોજ દૌલતપુર ચોકથી ચાલનારી ટ્રેન નં. 19412 દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ, નિર્ધારિત માર્ગ પાલનપુર-ઊંઝા-સિદ્ધપુર-મહેસાણા ને બદલે પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભિલડી-પાટણ-મહેસાણા ના રસ્તે ચાલશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર જશે નહીં.
આ સમાચાર પણ વાંચો : Northern Railway : લખનઉ ડિવિઝન માં એન્જિનિયરિંગ કાર્ય માટે લેવાશે ટ્રાફિક અને પાવર બ્લોક, આ ટ્રેનોને થશે અસર..
મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરો. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.