News Continuous Bureau | Mumbai
Express Train : પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોના સમય પાલનમાં વધુ સુધારો કરવા માટે 15 મે 2024થી ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ અને ગાંધીનગર-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફારો કરાયા છે જેની વિગતો નીચે મુજબ છે:-
Express Train : ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ – વેરાવળ સોમનાથ એક્સપ્રેસ
ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ – વેરાવળ સોમનાથ એક્સપ્રેસ ( Gandhinagar Capital – Veraval Somnath Express ) ગાંધીનગરથી ( Gandhinagar ) વર્તમાન નિર્ધારિત સમય 21:55 કલાકના સ્થાને 21:45 કલાકે (10 મિનિટ વહેલા) પ્રસ્થાન કરશે અને 22.08/22.10 કલાકે ચાંદલોડિયા બી, 22.56/22.58 કલાકે વિરમગામ અને 05:45 કલાકે વેરાવળ પહોંચશે.
Express Train :ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ – વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ
ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ – વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ( Gandhinagar Capital – Veraval Intercity Express ) ગાંધીનગરથી વર્તમાન નિર્ધારિત સમય 10:35 કલાકના સ્થાને 10:30 કલાકે (05 મિનિટ વહેલા) ઉપડશે. અન્ય તમામ સ્ટેશનો પર આગમન અને પ્રસ્થાનનો સમય યથાવત રહેશે.
આ સમાચાર પણ વાંચો: MDoNER : MDoNERએ વિજ્ઞાન ભવન એનેક્સી, નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2024 માટે કાઉન્ટડાઉનનું આયોજન કર્યું
Express Train :ટ્રેન નંબર 22958 વેરાવળ-ગાંધીનગર સોમનાથ એક્સપ્રેસ
ટ્રેન નંબર 22958 વેરાવળ-ગાંધીનગર સોમનાથ એક્સપ્રેસ ( Veraval-Gandhinagar Somnath Express ) વેરાવળથી તેના નિર્ધારિત સમયે 21:50 કલાકે પ્રસ્થાન કરશે તથા વિરમગામ 04:21/04:23 કલાકના સ્થાને 04:05/04:07 કલાકે, ચાંદલોડિયા બી 05:10/05:12 કલાકના સ્થાને 04:50/04:52 કલાકે તથા ગાંધીનગર 05:55 કલાકના સ્થાને 05:40 કલાકે પહોંચશે.
ટ્રેનના સંચાલન સમય, સ્ટોપ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.