PM Modi Gandhinagar: PM મોદીએ ગાંધીનગરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ)નું કર્યું ઉદ્ઘાટન.

PM Modi Gandhinagar: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં ગાંધીનગરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ)નું ઉદ્ઘાટન કર્યું. શરૂઆતના સો દિવસમાં અમારી પ્રાથમિકતાઓ સ્પષ્ટપણે દેખાય છે. તે અમારી ઝડપ અને વ્યાપનું પણ પ્રતિબિંબ છે. વૈશ્વિક ઉપયોગિતા માટે ભારતીય ઉકેલો, ભારત 21મી સદીનો શ્રેષ્ઠ દાવ છે. હરિયાળું ભવિષ્ય અને નેટ ઝીરો એ ભારતની પ્રતિબદ્ધતા છે. ભારત જી-20માં પ્રથમ દેશ છે જેને પેરિસમાં નિર્ધારિત જળવાયુ પ્રતિબદ્ધતાઓને સમય મર્યાદાથી 9 વર્ષ પહેલા જ પૂરો કરી લીધો છે. પ્રધાનમંત્રી સૂર્યા ઘર નિઃશુલ્ક વીજળી યોજના સાથે, ભારતનું દરેક ઘર ઊર્જા ઉત્પાદક બનવા જઈ રહ્યું છે. સરકાર ગ્રહ સમર્થક લોકોના સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધ છે

by Hiral Meria
PM Modi Gandhinagar PM Modi inaugurated the 4th Global Renewable Energy Investors Meet and Expo (Re-Invest) in Gujarat.

News Continuous Bureau | Mumbai 

PM Modi Gandhinagar: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો ( 4th Global Renewable Energy Investors Meet & Expo ) (રિ-ઇન્વેસ્ટ)નું ઉદઘાટન કર્યું. 3-દિવસીય સમિટ ભારતની 200 ગીગાવોટની સ્થાપિત બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતાની નોંધપાત્ર સિદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારાઓનું સન્માન કરવામાં આવ્યું. શ્રી મોદીએ સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ, સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગના મુખ્ય ખેલાડીઓ પાસેથી અત્યાધુનિક નવીનતાઓ પ્રદર્શિત કરતા પ્રદર્શનનું અવલોકન પણ કર્યું. 

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) રિ-ઇન્વેસ્ટ સમિટના ચોથા સંસ્કરણમાં તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ઊર્જા, ટેકનોલોજી અને નીતિઓનાં ભવિષ્ય પર આગામી ત્રણ દિવસમાં ગંભીર ચર્ચાઓ થશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ પરિષદમાંથી થયેલી ચર્ચાઓ અને બોધપાઠથી સંપૂર્ણ માનવતાને લાભ થશે. તેમણે સફળ ચર્ચા માટે શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ 60 વર્ષ પછી રેકોર્ડ ત્રીજી વખત એક જ સરકારને ચૂંટી કાઢવા માટે ભારતનાં લોકોનાં જનાદેશ પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “ત્રીજી ટર્મ માટે સરકારની પુનઃપસંદગી પાછળ ભારતની આકાંક્ષાઓ કારણભૂત છે.” તેમણે 140 કરોડ નાગરિકો, યુવાનો અને મહિલાઓનાં ભરોસા અને વિશ્વાસ પર પ્રકાશ પાડ્યો હતો, જેઓ માને છે કે આ ત્રીજા કાર્યકાળમાં તેમની આકાંક્ષાઓ નવી ઉડાન ભરશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગરીબો, દલિતો અને વંચિતો માને છે કે, સરકારનો ત્રીજો કાર્યકાળ પ્રતિષ્ઠિત જીવનની ગેરેન્ટી બની રહેશે. તેમણે કહ્યું હતું કે, ભારતનાં 140 કરોડ નાગરિકો ભારતને દુનિયામાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાનાં સંકલ્પ સાથે કામ કરી રહ્યાં છે. આજનો કાર્યક્રમ અલગ-અલગ કાર્યક્રમ નથી, પણ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેનાં મોટાં વિઝન, મિશન અને એક્શન પ્લાનનો એક ભાગ છે એ બાબતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કાર્યકાળનાં પ્રથમ 100 દિવસમાં સરકારે લીધેલા નિર્ણયો પર પ્રકાશ પાડ્યો હતો.

“પ્રથમ 100 દિવસમાં સરકારનું ( Central Government ) કામ તેની પ્રાથમિકતાઓને પ્રકાશિત કરે છે અને ગતિ અને સ્કેલનું પ્રતિબિંબ આપે છે.” પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના ઝડપી વિકાસ માટે જરૂરી તમામ ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ 100 દિવસોમાં દેશનાં ભૌતિક અને સામાજિક માળખાને વિસ્તૃત કરવા માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં છે. તેમણે માહિતી આપી હતી કે, ભારત 7 કરોડ મકાનોનું નિર્માણ કરવાના માર્ગે અગ્રેસર છે, જે ઘણાં દેશોની વસતિ કરતાં વધારે છે, જ્યારે છેલ્લાં બે ટર્મમાં 4 કરોડ મકાનો લોકોને સુપરત કરવામાં આવ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 12 નવા ઔદ્યોગિક શહેરોની રચના કરવાનો નિર્ણય, 8 હાઇ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટ્સ માટે મંજૂરી, 15થી વધુ સેમી હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેનો શરૂ કરવી, સંશોધનને પ્રોત્સાહન આપવા માટે 1 ટ્રિલિયન રૂપિયાના સંશોધન ભંડોળની શરૂઆત, ઇ-મોબિલિટીને વેગ આપવા માટે વિવિધ પહેલોની જાહેરાત, હાઇ-પર્ફોર્મન્સ બાયોમેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન અને બાયો ઇ3 નીતિને મંજૂરી આપવી સામેલ છે.

આ સમાચાર પણ વાંચો :  Gujarat Farmers: ભુપેન્દ્ર પટેલ સરકારનો ચોથા વર્ષમાં થયો પ્રવેશ, ગુજરાતના ખેડૂતો માટે લીધા આ કલ્યાણકારી નિર્ણયો

છેલ્લાં 100 દિવસમાં ગ્રીન એનર્જી ક્ષેત્રમાં થયેલા વિકાસ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, 7,000 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સ માટે વાયાબિલિટી ગેપ ફંડિંગ સ્કીમ શરૂ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત આગામી સમયમાં 12,000 કરોડ રૂપિયાનાં ખર્ચ સાથે 31,000 મેગાવોટ હાઇડ્રોપાવરનું ઉત્પાદન કરવાની દિશામાં કામ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની વિવિધતા, વ્યાપ, ક્ષમતા, સંભવિતતા અને કામગીરી તમામ વિશિષ્ટ છે અને વૈશ્વિક ઉપયોગિતા માટે ભારતીય ઉકેલો માટે માર્ગ મોકળો કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ફક્ત ભારત જ નહીં, સમગ્ર વિશ્વ એવું માને છે કે ભારત 21મી સદીનો શ્રેષ્ઠ દાવ છે.” છેલ્લાં એક મહિનામાં ભારત દ્વારા આયોજિત વૈશ્વિક કાર્યક્રમોનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, ચાલુ મહિનાની શરૂઆતમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું આયોજન થયું હતું, પ્રથમ આંતરરાષ્ટ્રીય સૌર મહોત્સવ, ગ્લોબલ સેમિકન્ડક્ટર સમિટમાં દુનિયાભરનાં લોકોએ ભાગ લીધો હતો, જેમાં ભારતે એશિયા-પેસિફિક નાગરિક ઉડ્ડયન મંત્રીસ્તરીય બીજી પરિષદનું પણ આયોજન કર્યું હતું અને આજે ભારત ગ્રીન એનર્જી કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જે ગુજરાતમાં ( Gujarat ) શ્વેત ક્રાંતિ, મીઠી (મધ) ક્રાંતિ, સૌર ક્રાંતિની શરૂઆત થઈ છે, અત્યારે ગુજરાતમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પોનું આયોજન થયું છે, એ એક સુખદ સંયોગ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ગુજરાત ભારતનું પહેલું એવું રાજ્ય છે કે જેની પોતાની સૌર નીતિ છે.” તેમણે ઉમેર્યું હતું કે, સૌર ઊર્જા પર રાષ્ટ્રીય નીતિઓ આ પછી અનુસરવામાં આવી હતી. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આબોહવાને લગતી બાબતો સાથે સંબંધિત મંત્રાલયની સ્થાપનામાં ગુજરાત સમગ્ર દુનિયામાં મોખરે છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે દુનિયાએ સોલાર પ્લાન્ટ વિશે વિચાર્યું પણ નહોતું, ત્યારે ગુજરાતે સોલર પ્લાન્ટ્સ ( Solar Energy ) સ્થાપિત કરવાનું શરૂ કરી દીધું છે.

કાર્યક્રમના સ્થળના નામ – મહાત્મા મંદિર તરફ આંગળી ચીંધીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેનું નામ મહાત્મા ગાંધીના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે જળવાયુ પડકારનો વિષય પણ ઊભો થયો ન હતો ત્યારે દુનિયાને સચેત કરી હતી. મહાત્માને ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પૃથ્વી પાસે આપણી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પર્યાપ્ત સંસાધનો છે, પણ આપણા લોભને સંતોષવા માટે નહીં.” તેમણે ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધીનું આ વિઝન ભારતની મહાન પરંપરામાંથી બહાર આવ્યું છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ગ્રીન ફ્યૂચર, નેટ ઝીરો જેવા શબ્દો ફેન્સી શબ્દો નથી, પણ કેન્દ્ર અને ભારતની દરેક રાજ્ય સરકારની જરૂરિયાતો અને પ્રતિબદ્ધતાઓ છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકાસશીલ અર્થતંત્ર તરીકે ભારત પાસે આ કટિબદ્ધતાઓથી દૂર રહેવાનું વાજબી બહાનું હતું, પણ તેમણે એ માર્ગ પસંદ કર્યો નહોતો. જોકે તેમણે ઉમેર્યું હતું કે, “આજનું ભારત માત્ર આજ માટે જ નહીં, પણ આગામી હજાર વર્ષ માટે આધાર તૈયાર કરી રહ્યું છે.” શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનો ઉદ્દેશ માત્ર ટોચ પર પહોંચવાનો જ નથી, પણ ટોચ પર ટકી રહેવા આપણી જાતને સજ્જ કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત વર્ષ 2047 સુધીમાં તેને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે તેની ઊર્જાની જરૂરિયાતો અને જરૂરિયાતોથી સારી રીતે વાકેફ છે. શ્રી મોદીએ યાદ અપાવ્યું હતું કે, ભારતે સૌર ઊર્જા, પવન ઊર્જા, પરમાણુ ઊર્જા અને હાઇડ્રો પાવર જેવી અક્ષય ઊર્જાનાં આધારે પોતાનાં ભવિષ્યનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે, કારણ કે ઓઇલ-ગેસનાં ભંડારોની અછત છે.

આ સમાચાર પણ વાંચો :  UPI Payment: યુપીઆઈ મારફતે ટ્રાન્ઝેક્શન કરનારા માટે મોટા સમાચાર, UPIથી 1 લાખ નહીં આટલા લાખનું કરી શકશો ટ્રાન્ઝેક્શન, RBIએ કરી મોટી જાહેરાત..

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત પેરિસમાં નિર્ધારિત આબોહવા પ્રત્યે કટિબદ્ધતાઓ હાંસલ કરનારો પ્રથમ જી-20 દેશ છે, તે પણ સમયમર્યાદાનાં 9 વર્ષ અગાઉ. શ્રી મોદીએ વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાનાં લક્ષ્યાંકને હાંસલ કરવાનાં દેશનાં લક્ષ્યાંકોની રૂપરેખા આપી હતી અને કહ્યું હતું કે, સરકારે ગ્રીન ટ્રાન્ઝિશનને જન આંદોલનમાં પરિવર્તિત કર્યું છે. તેમણે રૂફટોપ સોલાર – પીએમ સૂર્યા ઘર ફ્રી ઇલેક્ટ્રિસિટી સ્કીમ માટે ભારતની વિશિષ્ટ યોજનાનો અભ્યાસ કરવાનું સૂચન કર્યું હતું, જેમાં સરકાર દરેક પરિવાર માટે રૂફટોપ સોલર સેટઅપને ભંડોળ પૂરું પાડે છે અને ઇન્સ્ટોલેશનમાં મદદ કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ યોજના મારફતે ભારતમાં દરેક ઘર વીજળીનું ઉત્પાદન કરે છે. તેમણે માહિતી આપી હતી કે, આ યોજના હેઠળ 1 કરોડ 30 લાખથી વધારે પરિવારોએ નોંધણી કરાવી છે અને અત્યાર સુધીમાં 3.25 લાખ મકાનોમાં ઇન્સ્ટોલેશનનું કામ પૂર્ણ થયું છે.

શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી સૌર ઘર યોજના આશરે 20 લાખ છે. પીએમ મોદીએ માહિતી આપતા કહ્યું કે, સરકારનું લક્ષ્ય આ યોજના હેઠળ 3 લાખ યુવાનોને કુશળ માનવબળ તરીકે તૈયાર કરવાનું છે. તેમાંથી એક લાખ યુવાનો સોલાર પીવી ટેક્નિશિયન હશે. તેમણે કહ્યું હતું કે, “દર 3 કિલોવોટ સૌર ઊર્જાનું ઉત્પાદન થાય છે, જે 50-60 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અટકાવે છે.” તેમણે જળવાયુમાં પરિવર્તન સામે લડવામાં દરેક પરિવારનાં પ્રદાનની નોંધ લીધી હતી.

શ્રી મોદીએ કહ્યું હતું કે, “ભારતની સૌર ક્રાંતિને સુવર્ણ અક્ષરોમાં અંકિત કરવામાં આવશે, જ્યારે 21મી સદીનો ઇતિહાસ લખાશે.” ભારતના પ્રથમ સોલાર વિલેજ મોઢેરા વિશે પ્રકાશ પાડતા, જેમાં સદીઓ જૂનું સૂર્ય મંદિર પણ છે, શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે, ગામની તમામ જરૂરિયાતો સૌર ઊર્જા દ્વારા પૂર્ણ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે દેશભરમાં આ પ્રકારનાં ઘણાં ગામોને સૌર ગામડાઓમાં પરિવર્તિત કરવા માટે એક અભિયાન ચાલી રહ્યું છે.

સૂર્યવંશી ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા શહેર વિશે વાત કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ શહેરની પ્રેરણાથી સરકાર અયોધ્યાને એક આદર્શ સોલર સિટી બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રયાસ સૌર ઊર્જા મારફતે અયોધ્યાનાં દરેક ઘર, દરેક કાર્યાલય અને દરેક સેવાને ઊર્જા પ્રદાન કરવાનો છે. શ્રી મોદીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, અયોધ્યાની ઘણી સુવિધાઓ અને મકાનોમાં સૌર ઊર્જાનો સંચાર થયો છે, ત્યારે અયોધ્યામાં મોટી સંખ્યામાં સોલાર સ્ટ્રીટ લાઇટ્સ, સૌર ચોક, સૌર હોડીઓ, સૌર જળનાં એટીએમ અને સૌર ઇમારતો પણ જોવા મળ્યાં છે. પ્રધાનમંત્રીએ વધુમાં ધ્યાન દોર્યું હતું કે, સરકારે આ જ રીતે ભારતમાં આવાં 17 શહેરોની ઓળખ કરી છે, જેને સૌર શહેરો તરીકે વિકસાવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, કૃષિક્ષેત્રો, ખેતરોને સૌર ઊર્જા ઉત્પાદનનું માધ્યમ બનાવવાની યોજના છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે ખેડૂતોને સિંચાઈ માટે સોલર પમ્પ અને નાના સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં મદદ મળી રહી છે.

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અક્ષય ઊર્જા સાથે સંબંધિત દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી અને મોટા પાયે કામ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા દાયકામાં ભારતે અગાઉની સરખામણીએ પરમાણુ ઊર્જામાંથી 35 ટકા વધુ વીજળીનું ઉત્પાદન કર્યું છે અને ભારત ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવા માટે પ્રયત્નશીલ છે. શ્રી મોદીએ આ દિશામાં આશરે 20,000 કરોડ રૂપિયાનું ગ્રીન હાઇડ્રોજન મિશન શરૂ કરવાની વાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં વેસ્ટ ટુ એનર્જીનું એક મોટું અભિયાન પણ ચાલી રહ્યું છે. ખનિજો સાથે સંબંધિત પડકારોનું સમાધાન કરવા માટે લેવામાં આવેલા પગલાં પર ભાર મૂકીને શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર પુનઃઉપયોગ અને રિસાયક્લિંગ સાથે સંબંધિત શ્રેષ્ઠ ટેકનોલોજી વિકસાવવા સ્ટાર્ટ-અપ્સને ટેકો આપવાની સાથે સાથે એક પરિપત્ર અભિગમને પ્રોત્સાહન આપી રહી છે.

પ્રધાનમંત્રી મોદીએ મિશન લિફ એટલે કે જીવનશૈલી ફોર એન્વાયર્નમેન્ટના ભારતના દ્રષ્ટિકોણને ઉજાગર કરતા કહ્યું હતું કે, “સરકાર ગ્રહ-તરફી લોકોના સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધ છે.” તેમણે ભારતની આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પહેલ, ભારતના જી-20ના અધ્યક્ષતા દરમિયાન ગ્રીન ટ્રાન્ઝિશન પર ધ્યાન કેન્દ્રિત કરવા અને જી-20 સમિટ દરમિયાન ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સના પ્રારંભનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “ભારતે આ દાયકાના અંત સુધીમાં તેની રેલવેને ચોખ્ખી શૂન્ય બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.” તેમણે ઉમેર્યું હતું કે, ભારતે 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.  તેમણે જળ સંરક્ષણ માટે ઉપયોગમાં લેવાતા દરેક ગામમાં હજારો અમૃત સરોવરનો ઉલ્લેખ પણ કર્યો હતો. પીએમ મોદીએ ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો ઉલ્લેખ કર્યો અને દરેકને આ પહેલમાં જોડાવાનો આગ્રહ કર્યો.

ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાની વધતી જતી માગની નોંધ લઈને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર આ માગને પહોંચી વળવા નવી નીતિઓ ઘડી રહી છે અને દરેક રીતે ટેકો પૂરો પાડી રહી છે. સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ માત્ર ઊર્જા ઉત્પાદન જ નહીં, પણ ઉત્પાદન ક્ષેત્રમાં પણ રોકાણકારો માટે પ્રચૂર તકો પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારત સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા સોલ્યુશન્સ માટે આતુર છે અને ઘણી શક્યતાઓ ઊભી કરી રહ્યું છે. ભારત ખરા અર્થમાં વિસ્તરણ અને વધુ સારા વળતરની ગેરંટી છે.” શ્રી મોદીએ અંતમાં જણાવ્યું હતું કે, તેમણે ભારતના હરિયાળા સંક્રમણમાં રોકાણને આમંત્રણ આપ્યું હતું.

આ પ્રસંગે ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશી, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગોવાનાં મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સમાચાર પણ વાંચો : Jammu – Kashmir:જીવ બચાવવા ભાગી રહ્યો હતો આતંકવાદી, સુરક્ષા દળોએ દોડાવી દોડાવીને માર્યો ઠાર; જુઓ ડ્રોન ફૂટેજ..

પાશ્વભાગ

ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ) અક્ષય ઊર્જાના ઉત્પાદન અને તેના અમલીકરણમાં ભારતની પ્રભાવશાળી પ્રગતિ પર પ્રકાશ પાડશે. જેમાં અઢી દિવસની કોન્ફરન્સ યોજાશે જેમાં દુનિયાભરના પ્રતિનિધિઓને આકર્ષવામાં આવશે. ઉપસ્થિત લોકો એક વ્યાપક કાર્યક્રમમાં જોડાશે, જેમાં મુખ્યમંત્રીસ્તરીય પૂર્ણ સત્ર, સીઇઓ રાઉન્ડટેબલ અને નવીન ધિરાણ, ગ્રીન હાઇડ્રોજન અને ભવિષ્યના ઊર્જા ઉકેલો પર વિશેષ ચર્ચા-વિચારણાનો સમાવેશ થાય છે. જર્મની, ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક અને નોર્વે પાર્ટનર કન્ટ્રી તરીકે આ ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યું છે. ગુજરાત યજમાન રાજ્ય છે અને આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ ભાગીદાર રાજ્યો તરીકે ભાગ લઈ રહ્યા છે.

અહીં એક પ્રદર્શન યોજાશે, જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ, સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગજગતના મુખ્ય ખેલાડીઓ તરફથી અત્યાધુનિક નવીનતાઓ પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શન સ્થાયી ભવિષ્ય માટે ભારતની કટિબદ્ધતાને રેખાંકિત કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More