News Continuous Bureau | Mumbai
JSGIF Udan Award: જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન ( JSGIF) દ્વારા જૈન સમાજની વિવિધ વિભૂતિઓને તેમના ક્ષેત્રમાં ઉમદા પ્રતિનિધિત્વ કરવા માટે સન્માનિત કરવાના પૂના ( Pune ) ખાતે યોજાયેલા સમારોહમાં ૨૨ મહાનુભાવોને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ સાથે જ ડૉ. મંજુ મંગલ પ્રભાત લોઢાને પણ તેમની સાહિત્યિક અને સામાજીક પ્રવૄતિઓ બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ગત ૧૬ મી જુન ૨૦૨૪ નાં રોજ પૂણે ખાતે યોજાયેલા આ સમારોહમાં શ્રીમતી લોઢાની ( Dr. Manju Mangal Prabhat Lodha) સાથે બોમ્બે રીજનના અન્ય પાંચ સભ્યો હિયા જીતન શાહ, હૃદય શાહ, કેવલ કક્કા, લજીતા ખોના અને સરયુ માલદેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિજેતાઓએ આ એવોર્ડ સાથે આંતરરાષ્ટ્રિય સ્તરે સન્માન મેળવ્યું છે. આ પ્રસંગે ફેડરેશનના પ્રમુખ શ્રી અમીષ ભાઈ દોશી, બોમ્બે ચેરમેન શ્રી કિશોરભાઈ દોશી, પૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ શાહ, પંકજભાઈ સંઘવી, અને બોમ્બે રીજીયન ઝોન સંયોજક ડીમ્પલબેન કોરાડીયા ઉપસ્થિત રહ્યા હતા.

22 Jain Vibhutis including Manju Lodha awarded JSGIF Udan Award
આ સમાચાર પણ વાંચો: National Lok Adalat: સુરત જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તા.૨૨મી જુનના રોજ જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું
JSGIF ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત જૈન સમુદાયના ( Jain community ) મહાનુભાવોને તેમના સામાજીક યોગદાન બદલ એવોર્ડ આપે છે. જેના ભાગરૂપે આ વખતે JSGIF ના વિશાળ આકાશમાં આ ૨૨ પ્રતિભાશાળી તારલાઓ ચમક્યા હતા. આ કાર્યક્રમમાં જૈન સમુદાયની અનન્ય સિદ્ધિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને નવી ઊંચાઈઓ હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીમતી ઉષાજી મુનોતનો વિશેષ આભાર વ્યક્ત કરાયો હતો.

22 Jain Vibhutis including Manju Lodha awarded JSGIF Udan Award
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.