223
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર
મુંબઈ શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. એક સારા સમાચાર એ છે કે મુંબઈ શહેરના કુલ 24 વૉર્ડમાંથી ૧૪ વૉર્ડમાં એક પણ દૂષિત ઝોન નથી. આ ઉપરાંત જે 10 વૉર્ડમાં દૂષિત ઝોન છે એની સંખ્યા પણ માત્ર 44 છે. આમ આખા મુંબઈ શહેરમાં પરિસ્થિતિ ઘણી ખરી કાબૂમાં આવી ગઈ છે. ગુજરાતી વિસ્તાર જેવા કે દહિસર, ગોરેગામ, મલાડ ઘાટકોપરમાં એક પણ દૂષિત ઝોન નથી. આ ઉપરાંત અત્યારે દૂષિત વિસ્તારમાં અઢી લાખ લોકો રહે છે. એક સમયે આ આંકડો 20 લાખ જેટલો હતો.
આમ મુંબઈ શહેર માટે આ સારા સમાચાર છે.
You Might Be Interested In