ફરી એક વાર લાપરવાહી! મુંબઈ અને થાણેમાં પ્રવાસીઓના કોરોના ટેસ્ટ થતા જ નથી

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ મે ૨૦૨૧

બુધવાર

શું મુંબઈ શહેરનું પ્રશાસન થાકી ગયું છે કે પછી પ્રશાસન ઇચ્છે છે કે કોરોના વધુ એક વખત વધી જાય? હા, પ્રશ્ન પૂછવા પાછળનું કારણ એ છે કે મુંબઈ અને થાણેમાં પરપ્રાંતીય પ્રવાસીઓને કોરોના ટેસ્ટ વિના પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. રેલવે સ્ટેશન તેમ જ એસટી સ્ટૅન્ડ અને સડક માર્ગેથી આવી રહેલા પ્રવાસીઓને એન્ટ્રી પૉઇન્ટ પર તપાસવામાં આવતા નથી. આવું કરવાને કારણે મુંબઈની આસપાસના વિસ્તારમાં ફેલાયેલો કોરોના ઝડપથી મુંબઈ શહેરમાં પ્રવેશી શકે છે. જો આવુ થશે તો ત્રીજી વખત કોરોનાની લહેર આવતાં સમય નહીં લાગે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More