Site icon

કોરોનાના ચાર મહિના બાદ મુંબઇની સડકો પર અડધોઅડધ રીક્ષા નથી દોડી રહી.. જાણો કેટલી રીક્ષા અને કેબ રસ્તા પર છે.. રસપ્રદ વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

30 સપ્ટેમ્બર 2020

ગત માર્ચ મહિનામાં લોકડાઉન ની શરૂઆત થતાં જ રસ્તાઓ પરના તમામ જાહેર વાહન વ્યવહાર ઉપર બ્રેક લાગી ગઈ હતી. એમ્બ્યુલન્સ અને અતિ આવશ્યક સેવા ના વાહનો સિવાય ટ્રેન બસ બધું થઈ ગયું હતું. હવે ધીરે ધીરે અનલોક શરૂ થતાં ફરી વાહનો જાહેર માર્ગ પર દેખાઈ રહ્યા છે. શહેરની 43% રીક્ષાઓ અને 40% એપ આધારિત ટેક્સી દોડતી જોવા મળી છે એવી માહિતી સીએનજીના એક અહેવાલ પરથી મળી છે. હાલ મહાનગર ગેસ લિમિટેડ ના 256 સીએનજી સ્ટેશનો ફરી કાર્યરત થઇ ગયા છે. 

કોરોના પહેલા શહેરમાં 2.3 લાખ રીક્ષાઓ, 38000 કાળી પીળી ટેકસી- જેમાંથી 20 હજાર ખરેખર રસ્તા ઉપર દોડી રહી હતી. 80 હજાર એપ આધારિત કેબ અને 3500 બસ દોડતી હતી .જેમાંથી અનલોક વેળાએ ડ્રાઈવરો મુંબઈ છોડી પોતાના વતન જતા રહેતા રીક્ષાઓ અને ટેક્ષીઓ મહિનાઓ સુધી રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી જોવા મળતી હતી. પરંતુ,  જૂન મહિનાથી નિયમો હળવા થતા રસ્તા ઉપર રિક્ષા અને ટેક્સીઓ દોડતી થઈ છે.. અત્યારે એક લાખ અર્થાત 43 ટકા જેટલા રીક્ષા, ટેકસી રસ્તા પર દોડી રહી છે..

Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર
Exit mobile version