ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે વિચિત્ર દાવો કર્યો છે.
અમૃતા ફડણવીસે પત્રકારો સાથે વાત કરતી વખતે કહ્યું કે મુંબઈ શહેરમાં ત્રણ ટકા છૂટાછેડાનું કારણ મુંબઈનો ટ્રાફિક જામ છે.
કારણ કે મુંબઈમાં ભારે ટ્રાફિકમાં ફસાવાના કારણે લોકો પોતાના પરિવારને સમય આપી શકતા નથી.
આ પછી શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ અમૃતા ફડણવીસનું નામ લીધા વિના તેમના નિવેદન પર ઝાટકણી કાઢી અને તેને આજનું સૌથી વાહિયાત નિવેદન ગણાવ્યું હતું.