મુંબઈના પોલીસ-કમિશનર અડધી રાત્રે ઉદ્ધવ ઠાકરેને મળ્યાં. એનઆઈએ દ્વારા આટલા ઓફિસરોની પૂછપરછ ચાલુ છે. જાણો વિગત.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

17 માર્ચ 2021

મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહ મંગળવારે રાત્રે 11:30 વાગ્યા પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસ્થાને તેઓને મળવા માટે પહોંચ્યા હતા. પોલીસ કમિશનર અને મુખ્યમંત્રી વચ્ચે શું વાતચીત થઈ તે સંદર્ભે કોઇ ખુલાસો થયો નથી.

દરમિયાન એનઆઈએ દ્વારા હવે પૂછપરછની ગતિવિધિ વધુ તેજ કરવામાં આવી છે. જે પ્રમાણે અત્યાર સુધી પોલીસ વિભાગના ૭ ઓફિસરોની પૂછપરછ થઈ ચૂકી છે. આ ઉપરાંત એક આસિસ્ટન્ટ પોલીસ કમિશનરની પણ પૂછપરછ કરવામાં આવી છે. આ તમામ લોકો ક્રાઈમ બ્રાન્ચ માં કામ કરે છે.

જોકે અત્યાર સુધી અન્ય એક એવી પોલીસ અધિકારીની ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ પોલીસ વિભાગમાં જોરદાર ફફડાટ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More