Gas Cylinder: ગેસ સિલિન્ડરની કૃત્રિમ અછત ઊભી કરનાર એજન્સીઓ સામે કાર્યવાહીની માંગ: ભરેલા બોટલમાંથી ગેસ ચોરી કરી ગ્રાહકોને પધરાવાય છે અધૂરા સિલિન્ડર.

અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળને આપ્યું નિવેદન; ઘરગથ્થુ ગેસનો કોમર્શિયલ ઉપયોગ અટકાવવા પણ કરાઈ રજૂઆત.

by aryan sawant
Gas Cylinder ગેસ સિલિન્ડરની કૃત્રિમ અછત ઊભી કરનાર એજન્સીઓ સામે

News Continuous Bureau | Mumbai

Gas Cylinder  મુંબઈ સહિત રાજ્યભરમાં ગેસ સિલિન્ડરની કૃત્રિમ અછત ઊભી કરીને ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલતી ગેસ એજન્સીઓ વિરુદ્ધ અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે મોરચો માંડ્યો છે. સંગઠનના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય ગજાનન પાંડેએ માંગ કરી છે કે આવી એજન્સીઓ પર આવશ્યક સેવા કાયદા (Essential Services Act) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે. આ અંગે પુરવઠા મંત્રી છગન ભુજબળ અને જે તે જિલ્લા કલેક્ટરોને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.ગ્રાહક પંચાયતનો આરોપ છે કે ગેસ ટેન્કરમાં VTS (વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ) બેસાડવા જેવા ટેકનિકલ કારણો આગળ ધરીને એજન્સીઓ માર્કેટમાં અછત ઊભી કરે છે અને પછી કાળાબજારમાં સિલિન્ડર વેચીને ગ્રાહકોની આર્થિક લૂંટ ચલાવે છે.

પાઇપ દ્વારા ગેસની ચોરીનો ગંભીર આરોપ

સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે કેટલીક એજન્સીઓ ભરેલા સિલિન્ડરમાંથી પાઇપ દ્વારા ગેસ કાઢી લે છે અને ગ્રાહકોને અધૂરા ભરેલા સિલિન્ડર પૂરા ભાવે વેચે છે. આનાથી ગ્રાહકોને આર્થિક નુકસાન તો થાય જ છે, સાથે સાથે ગેસ કાઢવાની આ પ્રક્રિયા અત્યંત જોખમી હોવાથી મોટી દુર્ઘટનાનો ભય પણ રહે છે. ગ્રાહક પંચાયતે વહીવટીતંત્ર પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવતા કહ્યું છે કે માત્ર નામ પૂરતી તપાસ થતી હોવાથી એજન્સી માલિકો બેફામ બન્યા છે.

ઘરગથ્થુ ગેસનો ગેરકાયદેસર વ્યવસાયિક ઉપયોગ

નિવેદનમાં જણાવાયું છે કે હોટલો, કેટરિંગ સર્વિસ, વેલ્ડિંગના કામો અને ફૂટપાથ પરના ખાદ્ય વિક્રેતાઓ સસ્તા ઘરગથ્થુ સિલિન્ડરનો સર્રાસ ઉપયોગ કરે છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધારે હોવાથી આ વિક્રેતાઓ ઘરગથ્થુ ગેસની ચોરી કરે છે, જેના પરિણામે સામાન્ય ગૃહિણીઓને સિલિન્ડર માટે લાંબુ વેટિંગ કરવું પડે છે અથવા તો કાળાબજારમાં મોંઘા ભાવે ખરીદવા પડે છે.

આ સમાચાર પણ વાંચો : BMC Election 2026: ૨૯ મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત: જાણો મુંબઈ (BMC) સહિતની ચૂંટણીઓનું સંપૂર્ણ ટાઈમ ટેબલ.

તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો

ગ્રાહક પંચાયતે શંકા વ્યક્ત કરી છે કે ગેસ એજન્સી માલિકો અને પુરવઠા વિભાગના કેટલાક અધિકારીઓ વચ્ચે મિલીભગત હોઈ શકે છે. વહીવટીતંત્રની બેદરકારીને કારણે સામાન્ય નાગરિકોની છેતરપિંડી થઈ રહી છે. સંગઠને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કડક પગલાં લેવામાં નહીં આવે અને સિલિન્ડરની હેરાફેરી અટકાવવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More