Site icon

ઓહોહોહો!!! બેસ્ટ મુસાફરોની સંખ્યા 18 લાખને આંબી ગઈ છે. જાણો એનું કારણ શું છે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

29 સપ્ટેમ્બર 2020

ટ્રેનોને મુંબઇ ની લાઈફલાઈન કહેવાય છે તો બેસ્ટની બસો બીજા નંબરે આવે છે. હાલ ટ્રેન માં થતી ભીડ ને લઇ બાકીના મુંબઈવાસીઓ બસમાં જવાનું સલામત વાહન ગણાઈ રહ્યું છે.. લોકડાઉન 4 નો અમલ થતાં જ  15 દિવસની અંદર મુસાફરોની સંખ્યામાં 50% કરતા વધુનો વધારો નોંધાયો છે. હાલ દરરોજ 18 લાખ જેટલા મુસાફરો બસ દ્વારા પ્રવાસ કરી રહયાં છે. હાલમાં, નિયમિત મુસાફરોને પહોંચી વળવા માટે બેસ્ટનું ધ્યાન ફક્ત મુંબઇ, થાણે અને નવી મુંબઇના ભાગો પર છે. આ દૈનિક મુસાફરોનો વધારો સૂચવે છે કે ઘણા લોકો બસો દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે કારણ કે ટ્રેન અને ટેક્સીઓ ફક્ત જરૂરી ચીજો માટે જ ઉપલબ્ધ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દૈનિક બસ સવારીઓની સંખ્યા પણ 50,000 ટ્રિપ્સને વટાવી ચૂકી છે, જેમાં સ્ટેશનોની બહારના 25 ફીડર રૂટ્સ પર 5,000 થી વધુન બસો ની સંખ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે છેવાળાના વિસ્તારો સુધીના કનેક્ટિવિટી રૂટ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. પરંતુ સ્ટેશનોની બહાર 25 ફીડર રૂટ પર, અમને વધારે મુસાફરો મળે છે જેઓ જરૂરી આવશ્યક સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ હોય છે. વધુ મુસાફરો હાઇવે , એલબીએસ માર્ગ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અથવા એસવી રોડના વધુ મુસાફરો મળી રહયાં છે."

Bihar Bhawan in Mumbai: મુંબઈમાં બનશે ૩૦ માળનું નવું ‘બિહાર ભવન’; નીતીશ સરકારના આ પ્રોજેક્ટનું લોકેશન અને ખાસિયતો જાણી લો
Mumbai Metro 2B Update: મેટ્રો લાઇન 2B પર ૧૩૦ મીટર લાંબો કેબલ-સ્ટેડ ‘શૂન્ય પુલ’ તૈયાર; પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતા આ બ્રિજની જાણો ૫ મોટી ખાસિયતો
Western Railway Update: કાંદિવલી-બોરીવલી છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ; આજથી લોકલ ટ્રેનો સમયસર દોડશે, જાણો મુસાફરોને થનારા 5 મોટા ફાયદા.
Shaina NC: શાઇના એનસીએ ઠાકરે ભાઈઓ પર સાધ્યું નિશાન; ‘વર્ક ફ્રોમ હોમ’ના ટોણા સાથે મુંબઈના વલણો પર આપી આકરી પ્રતિક્રિયા.
Exit mobile version