Site icon

ઓહોહોહો!!! બેસ્ટ મુસાફરોની સંખ્યા 18 લાખને આંબી ગઈ છે. જાણો એનું કારણ શું છે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

29 સપ્ટેમ્બર 2020

ટ્રેનોને મુંબઇ ની લાઈફલાઈન કહેવાય છે તો બેસ્ટની બસો બીજા નંબરે આવે છે. હાલ ટ્રેન માં થતી ભીડ ને લઇ બાકીના મુંબઈવાસીઓ બસમાં જવાનું સલામત વાહન ગણાઈ રહ્યું છે.. લોકડાઉન 4 નો અમલ થતાં જ  15 દિવસની અંદર મુસાફરોની સંખ્યામાં 50% કરતા વધુનો વધારો નોંધાયો છે. હાલ દરરોજ 18 લાખ જેટલા મુસાફરો બસ દ્વારા પ્રવાસ કરી રહયાં છે. હાલમાં, નિયમિત મુસાફરોને પહોંચી વળવા માટે બેસ્ટનું ધ્યાન ફક્ત મુંબઇ, થાણે અને નવી મુંબઇના ભાગો પર છે. આ દૈનિક મુસાફરોનો વધારો સૂચવે છે કે ઘણા લોકો બસો દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે કારણ કે ટ્રેન અને ટેક્સીઓ ફક્ત જરૂરી ચીજો માટે જ ઉપલબ્ધ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દૈનિક બસ સવારીઓની સંખ્યા પણ 50,000 ટ્રિપ્સને વટાવી ચૂકી છે, જેમાં સ્ટેશનોની બહારના 25 ફીડર રૂટ્સ પર 5,000 થી વધુન બસો ની સંખ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે છેવાળાના વિસ્તારો સુધીના કનેક્ટિવિટી રૂટ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. પરંતુ સ્ટેશનોની બહાર 25 ફીડર રૂટ પર, અમને વધારે મુસાફરો મળે છે જેઓ જરૂરી આવશ્યક સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ હોય છે. વધુ મુસાફરો હાઇવે , એલબીએસ માર્ગ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અથવા એસવી રોડના વધુ મુસાફરો મળી રહયાં છે."

Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર
Exit mobile version