Site icon News Continuous Bureau | Mumbai

મહાનગરપાલિકા લીધો મોટો નિર્ણય, હવે ખાનગી અથવા સરકારી કોઈપણ હોસ્પિટલમાં આસાનીથી એડમિશન નહીં મળે. જાણો શું છે નવો આદેશ…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો 
મુંબઈ
મુંબઈ મહાનગરપાલિકાએ હવે એક મહત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં વધતા જતા કોરોના ના કેસ પર કાબૂ મેળવવા માટે પાલિકા આયુકત ઇક્બાલ સિંહ ચહલ એ પાલિકાના ઈમરજન્સી વોર રૂમ ની શરૂઆત કરી દીધી છે.


આ ઉપરાંત પાલિકા યોગ્ય આદેશ જાહેર કર્યો છે કે સરકારી અથવા મહાનગરપાલિકા સંચાલિત કે પછી પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના ના દર્દી ની ભરતી કરતા અગાઉ મુંબઇ મહાનગરપાલિકાના વોર્ડને જણાવવું પડશે. ઉલ્લેખનીય છે કે આ કાયદો છેલ્લા થોડા સમય અગાઉ સુધી લાગુ હતો. પરંતુ પરિસ્થિતિ સુધારાની સાથે જ મહાનગરપાલિકાએ આ કાયદાને સ્થગતિ આપી હતી. હવે કોરોના ના કેસ વધતાની સાથે જ તે કાયદો ફરી એક વાર લાગુ કરવામાં આવ્યો છે. 
આથી હવે કોઇપણ વ્યક્તિને જો કોરોના માટે હોસ્પિટલમાં એડમિશન ની જરૂર પડશે તો તેણે અથવા તે જે હૉસ્પીટલમાં પહોંચ્યો હોય તે હોસ્પિટલમાં અગાઉ મુંબઈ મહાનગર પાલિકાના સેન્ટ્રલ વૉર્ડ ને જાણકારી આપવી પડશે.

Join Our WhatsApp Channel
Mumbai Vegetable Price Hike| મરચું ઝણઝણશે અને ટોમેટા રડાવશે મુંબઈથાણેમાં શાકભાજીના ભાવ આસમાને, જાણો આજનો લેટેસ્ટ ભાવ
Mumbai Minor Kidnapping Case। મુંબઈની સગીરાનું અપહરણ કરી બિહારમાં બળજબરીથી લગ્ન કરાવ્યા પોલીસે ગણતરીના કલાકોમાં યુવતીને છોડાવી
Byculla Dockyard Road Firing Case। ભાયખલા ફાયરિંગ કેસનો ભેદ ઉકેલાયો અપમાનનો બદલો લેવા હુમલો કરાયો, બે શાર્પશૂટર ઝડપાયા
Kalyan ST Depot Brawl। કલ્યાણ બસ ડેપોમાં મુસાફરની પૂછપરછ પર કર્મચારી ભડક્યો યુવક સાથે છુટાહાથની મારામારી
Exit mobile version