એક તરફ કોરોના અને બીજી તરફ ભારોભાર ભ્રષ્ટાચાર. આરટીઆઇ થી મહાનગરપાલિકાનો ૫૦૦ કરોડ નો ‘હિસાબ-કિતાબ’ નીકળ્યો…..

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

સોમવાર

મુંબઈ શહેરા પૂરવઠાને કારણે હેરાન-પરેશાન છે ત્યારે બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકા સેંકડો કરોડના ખર્ચે મહાનગરપાલિકાની નવી શાળાઓ બાંધી રહી છે. આ બાંધકામ પાછળ 498 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જોવાની વાત એ છે કે વર્ષ 2018 માં આ કામ માટે નીકળ્યા હતા અને હાલ વર્ષ ૨૦૨૧ હોવા છતાં આમાંથી કોઈ કામ પત્યા નથી. તેમ છતાંય કોન્ટ્રાક્ટરોને નિયમિત રીતે પેમેન્ટ થઈ રહ્યું છે. જે કોન્ટ્રાક્ટરોને કામ ડીલે કર્યું છે તેમણે કાગળિયા પર એક નજીવો દંડ કરીને માફ કરી દેવામાં આવે છે.

કોરોના આ સંદર્ભે કેન્દ્ર સરકારનો મહારાષ્ટ્ર પર જોરદાર ઠપકો. લખાણમાં આપ્યું કે મહારાષ્ટ્ર સરકારે શું નથી કર્યું. જાણો વિગત.

આ ઉપરાંત અનેક કોન્ટ્રાક્ટરોની કામ ની મર્યાદા 2020 થી વધારીને 2023 અને 2022 સુધી કરવામાં આવી છે.

આરટીઆઇ કાર્યકર્તા અનિલ ગલગલી દ્વારા આ સંદર્ભે ની માહિતી એકઠી કરવામાં આવી હતી. ન્યુઝ કંટીન્યૂઝ ને તેમણે જણાવ્યું કે મહાનગરપાલિકાના કામ સમયસર હોવા જોઈએ. જો આવું ન થાય તો તેની માટે પ્રશાસને કડક પગલા લેવા જોઈએ. સ્કૂલોની બાબતમાં આવું કશું દેખાતું નથી તે શરમજનક છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More