Site icon

મુંબઈમાં ખુલ્લા મૅનહૉલનું જોખમ? BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે આપ્યા આ આદેશ ; જાણો વિગતે

News Continuous Bureau Mumbai 

મુંબઈમાં ખુલ્લા મેનહોલના જોખમને ધ્યાનમાં રાખીને BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે ચોમાસા દરમિયાન નિયમિત મૅનહૉલ નિયમિત તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Community

ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાઈ જતા હોય છે. તેથી અનેક વખતે લોકો પાણીનો નિકાલ કરવા રસ્તા પર રહેલા મૅનહૉલનાં ઢાંકણાં ખોલી નાખતા હોય છે. રસ્તા પરના ખુલ્લા મેનહોલમાં પડી જવાનું જોખમ હોય છે. અગાઉ મેનહોલ પડી જવાની અનેક દુર્ઘટના બની છે, તેથી આવી દુર્ઘટનાને ટાળવા માટે મેનહોલમાં જાળીઓ બેસાડવાનું કામ ચાલી રહ્યું છે. તેમાં સમય લાગવાનો છે. 

 આ સમાચાર પણ વાંચો : મુંબઈના રસ્તા પરથી કાટમાળ નહીં હટાવનારી કંપનીનું આવું બનશે, નોંધાશે સીધી એફઆઈઆર; જાણો વિગત

જોકે આ દરમિયાન ચોમાસામાં લોકો મેનહોલ ખોલીને રાખી ના દે તે માટે વખતોવખત મેનહોલની તપાસ કરવાનો આદેશ કમિશનરે આપ્યો છે. મુંબઈના તમામ ૨૪ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર સ્તર પર આ કાર્યવાહી કરવાની રહેશે.

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version