News Continuous Bureau | Mumbai
દુકાનોના તથા ઓફિસ ના પાટીયા ના નામ હજી સુધી મરાઠીમાં મોટા અક્ષરે લખ્યા નથી તો તે તાત્કાલિક ધોરણે તે કામ પહેલા કરાવી લેજો. અન્યથા પાલિકાની આકરી કાર્યવાહી નો સામનો કરવાની તૈયારી રાખજો.
મુંબઈ(Mumbai) સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં(Maharashtra) દુકાનો અને ઓફિસો પરના નામના પાટિયા મરાઠી ભાષામાં લખેલા હોવાનું ફરજિયાત કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો છે. હવે આ નિર્ણયનો અમલ કરવા તેમજ કાર્યવાહી માટે મુંબઇ મહાનગર પાલિકાના(BMC) શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ વિભાગે પાલિકા પ્રશાસન પાસે પરવાનગી માગી છે. મંજૂરી મળવાની સાથે પાલિકાની કાર્યવાહી ચાલુ થઈ જશે.
મુંબઈમાં લગભગ પાંચ લાખથી વધુ દુકાનદારો છે. રાજ્ય સરકારના આદેશને અલમાં લાવવા માટે શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ વિભાગની(Department of Shop and Establishment) નિયમાવલી પાલન કરવાની પરવાનગી માગતો પ્રસ્તાવ પણ પાલિકા કમિશનર(Palika commissioner) ઈકબાલસિંહ ચહલને(Iqbal singh chahal) મોકલવામાં આવ્યો છે.
દુકાન અને એસ્ટાબ્લિશમેન્ટ નામના બોર્ડ મરાઠી ભાષામાં(Marathi language) લખેલા ફરજિયાત કર્યા છે. જો અન્ય ભાષામાં નામ લખવા હોય તો તેના કરતાં મરાઠી ભાષામાં નામ અક્ષર મોટા હોવા જોઇએ. આ બાબતેનો નિર્ણય રાજ્ય શાસને ૧૭ માર્ચ ૨૦૨૨ના રોજ બહાર પાડ્યો હતો. આ આદેશ થોડાક દિવસ અગાઉ જ પાલિકાને મળ્યો છે. તેથી શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ વિભાગે તૈયારી શરૂ કરી છે. હવે કમિશનરની પરવાનગી મળતા કાર્યવાહી હાથ ધરાશે.
આ સમાચાર પણ વાંચો : યાત્રી કૃપયા ધ્યાન દે!!! મુંબઈથી ગુજરાત સહિત ઉત્તર ભારત જતી ટ્રેનોને પાંચ દિવસ થશે અસર.. જાણો વિગતે.
દુકાનો પરના પાટિયા પર મરાઠીમાં નામ લખવું કાયદા મુજબ ફરજિયાત છે. આ નિર્ણયનો અમલ કરવા માટે મુંબઈના વેપારી સંગઠનો સાથે ચર્ચા કરાશે. સંગઠનોને દુકાનો પર મરાઠી ભાષામાં લખેલા બોર્ડ લગાડવાની વિનંતી કરાશે. આ બાબતે પાલિકા દ્વારા જન જાગૃતિ ઝુંબેશ સુદ્ધા કરાશે, એમ પાલિકા દ્વારા સ્પષ્ટ કરાયું છે. પાલિકાના અધિકારીના કહેવા મુજબ અત્યાર સુધી મુંબઈના મોટા ભાગના દુકાનદારોએ પોતાની રીતે જ દુકાનના પાટિયા ના નામ પોતાની રીતે જ બદલાવું ચાલુ કરી દીધું છે. છતાં પ્રથમ તબક્કામાં પાલિકા દુકાનોની ચકાસણી કરાશે. ત્યારબાદ દુર્લક્ષ રાખનારા દુકાનદાર સામે કાર્યવાહી કરાશે.