મુંબઈ પાલિકાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વધી રહ્યા છે; તેની પાછળ આ છે કારણ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 11 નવેમ્બર, 2021

ગુરુવાર

દિલ્હીની શિક્ષણ પ્રણાલીને મુંબઇની શિક્ષણ પદ્ધતિની સરખામણીમાં વધુ સારી ગણવામાં આવે છે. મુંબઈમાં પણ દિલ્હી બોર્ડનું શિક્ષણ અપાય છે પરંતુ ખાનગી શાળાઓમાં આ બોર્ડનું શિક્ષણ સામાન્ય વર્ગના બાળકો લઈ શકતા નથી. મુંબઈમાં રહેતા દરેક વિસ્તાર અને સમાજના બાળકોને ઉચ્ચ ધોરણનું શિક્ષણ મેળવવાનો અધિકાર છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને પણ CBSE, ICSE, ઇન્ટરનેશનલ બોર્ડની શાળાઓમાં શિક્ષણ લેવાનો સંપૂર્ણ અધિકાર છે. તેથી પાલિકાએ એક પહેલ શરૂ કરી હતી. મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં CBSE, ICSE અને IB બોર્ડની શાળાઓ શરૂ થઈ રહી છે. તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે એક મીડિયા સંસ્થાને જણાવ્યું હતું કે મુંબઈની 60 ટકાથી વધુ વસ્તી ઝૂંપડપટ્ટી અને ચાલમાં રહે છે. અહીં રહેતા ગરીબ બાળકોને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળતું નથી. તેથી અમે મ્યુનિસિપલ શાળાઓમાં CBSE, ICSE બોર્ડ અને IB બોર્ડની શાળાઓ ખોલી છે. અત્યાર સુધીમાં આવી 11 શાળાઓ શરૂ કરવામાં આવી છે. તેને ભરપૂર પ્રતિસાદ પણ મળી રહ્યો છે. અહીં મોટી સંખ્યામાં અરજીઓ આવી રહી છે. તેમણે કહ્યું કે હાલમાં આ યોજના પ્રાયોગિક ધોરણે છે. પરિણામો પણ સારા મળી રહ્યા છે. આગામી દિવસોમાં પાલિકાની અન્ય શાળાઓમાં પણ આ બોર્ડનું શિક્ષણ શરૂ કરવામાં આવશે.

પૂર્વીય કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદના આ પુસ્તક પર થયો વિવાદ, દિલ્હીમાં નોંધાઈ ફરિયાદ; જાણો શું છે સમગ્ર મામલો

પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેની પહેલથી મુંબઇની શિક્ષણ પ્રણાલીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પરિણામ ખૂબ જ સારું મળી રહ્યું છે. લોકોનો ટ્રેન્ડ હવે મ્યુનિસિપલ સ્કૂલો તરફ વધી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની CBSE અને ICSE બોર્ડની શાળાઓમાં શિક્ષણ પ્રણાલી લોકોને પસંદ આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા અહીં અભ્યાસ કરતા બાળકોને 27 સામગ્રી વિનામૂલ્યે આપવામાં આવે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More