પૂર્વીય કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદના આ પુસ્તક પર થયો વિવાદ, દિલ્હીમાં નોંધાઈ ફરિયાદ; જાણો શું છે સમગ્ર મામલો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 11 નવેમ્બર, 2021

ગુરુવાર

પૂર્વીય કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદના એક પુસ્તકને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે

પ્રાપ્ત જાણકારી મુજબ બુધવારે તેમના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું અને આજે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

તેમના પર આરોપ છે કે તેમણે હિંન્દુત્વની આતંકવાદ સાથે સરખામણી કરી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. 

આ ફરિયાદ સલમાન ખુર્શીદના પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યામાં કરવામાં આવેલી ટીપ્પણી સામે દાખલ કરવામાં આવી છે. 

દિલ્હીના વકીલે દિલ્હી પોલીસ કમિશ્નરને ફરિયાદ કરતા કેસ નોંધવાની વિનંતી કરી છે. 

ઉલ્લેખનીય છે કે પુસ્તકમાં હિન્દુત્વની સરખામણી ISIS અને બોકો હરમ જેવા આતંકી સંગઠનો સાથે કરતા સલમાન ખુર્શીદે કહ્યું કે હિન્દુત્વ સાધુ સંતોના સનાતન અને પ્રાચીન હિન્દુ ધર્મને કિનારે લગાવી રહ્યા છે. જે દરેક રીતે ISIS અને બોકો હરમ જેવા જિહાદી ઈસ્લામી સંગઠનો જેવા છે. 

બુસ્ટર ડોઝ આપવો કે નહીં? નક્કી કરવા મુંબઈ મનપા કરશે આ કામ. જાણો વિગત.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More