ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,9 જૂન 2021
બુધવાર
વહેલી સવારથી પડી રહેલા મુશળધાર વરસાદમાં રેલવે પાટાઓ પર પાણી ભરાઈ ગયા છે. જેને પગલે મુંબઈની લાઈફલાઈન ગણાતી રેલવે સેવા સવારના 10.20 વાગ્યાથી ઠપ્પ થઈ ગઈ છે. સેન્ટ્રલ લાઈનમાં કુર્લા અને સાયનમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. તેને પગલે સેન્ટ્રલ લાઈનમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT)થી થાણે સુધી રેલવે સેવા સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે.
સવારના સમયે ઓફિસ જનાર લોકોના હાલ-હવાલ થયા. જુઓ વિડિયો
તો હાર્બર લાઈનમાં ચુનાભઠ્ઠી સ્ટેશન પર પાટામાં પાણી ભરાઈ ગયા છે. તેથી CSMTથી વાશી વચ્ચે હાર્બર લાઈન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. પાટા પરથી પાણી ઉતર્યા બાદ રેલવે લાઈન ચાલુ કરવા બાબતે વિચાર કરશે એવી જાહેરાત રેલવે પ્રશાસને કરી હતી.
