સેન્ટ્રલ રેલ્વેએ 18 લાખ ખુદાબક્ષો સામે કાર્યવાહી, વસૂલ્યો અધધ આટલા કરોડનો દંડ

by kalpana Verat
central railway announced mega block between csmt to vidya vihar on sunday

News Continuous Bureau | Mumbai

સેન્ટ્રલ રેલવે લાઇન પર રેલવે પ્રશાસનના તમામ પ્રયાસો છતાં પણ મુંબઈમાં ટ્રેનોમાં ટિકિટ વિનાની મુસાફરી બંધ થાય તેવું લાગતું નથી. આ ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા દર વર્ષે નવો રેકોર્ડ બનાવી રહી છે. મધ્ય રેલવેએ એપ્રિલ 2022 થી ફેબ્રુઆરી 2023 દરમિયાન ટિકિટ વિના મુસાફરી કરતા પકડાયેલા લોકોના આંકડા જાહેર કર્યા છે. આ મુજબ, રેલવેએ મુંબઈ ડિવિઝનમાં આ મુસાફરો પાસેથી દંડ તરીકે 100 કરોડ રૂપિયા વસૂલ્યા છે, જે રેલવે મંત્રાલયના કોઈપણ વિભાગ માટે રેકોર્ડ છે.

સેન્ટ્રલ રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ એપ્રિલ 2022થી ફેબ્રુઆરી 2023 વચ્ચે લોકલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં કુલ 18.08 લાખ મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરતા ઝડપાયા હતા. મધ્ય રેલવેએ આ મુસાફરો પાસેથી રૂ. 100.31 કરોડનો દંડ વસૂલ્યો હતો. રેલવેના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં ટિકિટ વિનાના મુસાફરોની સંખ્યામાં 12 ટકાથી વધુનો વધારો થયો છે.

ગયા નાણાકીય વર્ષ 2021-22માં, મધ્ય રેલવેએ 12.03 લાખ મુસાફરો પાસેથી આશરે રૂ. 61.62 કરોડનો દંડ વસૂલ્યો હતો, એટલે કે આ વર્ષે રેલવેએ રૂ. 39 કરોડનો વધારાનો દંડ વસૂલ્યો છે. આ નાણાકીય વર્ષમાં ટિકિટ વિનાના મુસાફરોની સંખ્યા ગયા નાણાકીય વર્ષ કરતાં લગભગ 6 લાખ વધુ છે, જે દર્શાવે છે કે રેલવે દ્વારા તમામ અપીલ અને સંપૂર્ણ ચેકિંગ ડ્રાઇવની થોડી અસર થઈ હોય તેવું લાગે છે. આંકડા મુજબ, AC લોકલ ટ્રેનોમાં 25,000 મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરતા ઝડપાયા છે, જેમની પાસેથી રેલવેએ 5.05 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

આ સમાચાર પણ વાંચો : જોવા માટે તૈયાર રહેજો! ભારતમાં આ તારીખે જોવા મળશે ગુરુ-શુક્રના મિલનનુ અદભૂત દ્રશ્ય

અગાઉ, મધ્ય રેલવેએ નાણાકીય વર્ષ 2019-20માં ટિકિટ વિનાના મુસાફરો પાસેથી દંડ વસૂલવાનો રેકોર્ડ બનાવ્યો હતો. સેન્ટ્રલ રેલવે દ્વારા ટિકિટ વિના મુસાફરી કરતા 15.73 લાખ લોકો પાસેથી 76.82 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો, જે આ નાણાકીય વર્ષમાં તૂટી ગયો છે. 

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું કે, સતત સંપૂર્ણ ચેકિંગ અભિયાન બાદ ટિકિટ વિનાના મુસાફરો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ સાથે તેઓ કહે છે, ‘અમે કોઈ રેકોર્ડ બનાવવા નથી માગતા, પરંતુ મુસાફરોને હંમેશા માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવાની વિનંતી કરીએ છીએ.’

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More