Site icon

અરે વાહ!!! જગપ્રખ્યાત ધારાવીની બેગ હવે વેચાતી મળશે CSMT સ્ટેશન પર; જાણો વિગતે

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

સ્થાનિક વેપારીઓને તથા તેમના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે સેન્ટ્રલ રેલવેએ “વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજના હાથ ધરી છે. જે હેઠળ જગપ્રખ્યાત ધારાવીની ચામડાની બેગથી લઈને અન્ય ઉત્પાદનો હવે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર વેચાશે.

 “વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજના હેઠળ સેન્ટ્રલ રેલવેના પાંચ સ્ટેશનોને આવરી લેવામાં આવ્યા છે. જેમા CSMT, કોલ્હાપુર, સોલાપુર, બુરહાનપુર અને નાગપુર સ્ટેશનનો સમાવેશ થાય છે. આ સ્ટેશનો પર વિવિધ વસ્તુઓને શો-કેશમાં રાખવામાં આવશે અને પ્રવાસીઓ તેની ખરીદી પણ કરી શકશે.

આ સમાચાર પણ વાંચો : વાહ! BMCની સ્કૂલમાં હવે વિદ્યાર્થીઓ ભણશે શૅરબજારના પાઠ, નવા શૈક્ષણિક વર્ષથી કોર્સનો થશે સમાવેશ; જાણો વિગતે

મુંબઈની સાથે જ સેન્ટ્રલ રેલવેના પુણે ડિવિઝનના વિવિધ સ્ટેશનમાં કોલ્હાપુરના છત્રપતિ શિવાજી શાહુ મહારાજ ટર્મિનસ પર કોલ્હાપુરની ચપ્પલને પ્રમોટ કરાશે. ભુસાવળ ડિવિઝનના બુરહાનપુર સ્ટેશન પર બુરહાનપુની પ્રખ્યાત હેન્ડિક્રાફ્ટની વસ્તુઓને પ્રોત્સાહન અપાશે. નાગપુર સ્ટેશન પર આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવેલા બાંબુ, સોલાપુરમાં સોલાપુરની પ્રખ્યાત ચાદર વગેરેનો સમાવેશ થાય છે.

વેસ્ટર્ન રેલેએ પણ ભાવનગર અને વડોદરા સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોડક્ટ“ યોજના ચાલુ કરી છે.

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version