Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ!!! જગપ્રખ્યાત ધારાવીની બેગ હવે વેચાતી મળશે CSMT સ્ટેશન પર; જાણો વિગતે

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

સ્થાનિક વેપારીઓને તથા તેમના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે સેન્ટ્રલ રેલવેએ “વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજના હાથ ધરી છે. જે હેઠળ જગપ્રખ્યાત ધારાવીની ચામડાની બેગથી લઈને અન્ય ઉત્પાદનો હવે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર વેચાશે.

 “વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજના હેઠળ સેન્ટ્રલ રેલવેના પાંચ સ્ટેશનોને આવરી લેવામાં આવ્યા છે. જેમા CSMT, કોલ્હાપુર, સોલાપુર, બુરહાનપુર અને નાગપુર સ્ટેશનનો સમાવેશ થાય છે. આ સ્ટેશનો પર વિવિધ વસ્તુઓને શો-કેશમાં રાખવામાં આવશે અને પ્રવાસીઓ તેની ખરીદી પણ કરી શકશે.

આ સમાચાર પણ વાંચો : વાહ! BMCની સ્કૂલમાં હવે વિદ્યાર્થીઓ ભણશે શૅરબજારના પાઠ, નવા શૈક્ષણિક વર્ષથી કોર્સનો થશે સમાવેશ; જાણો વિગતે

મુંબઈની સાથે જ સેન્ટ્રલ રેલવેના પુણે ડિવિઝનના વિવિધ સ્ટેશનમાં કોલ્હાપુરના છત્રપતિ શિવાજી શાહુ મહારાજ ટર્મિનસ પર કોલ્હાપુરની ચપ્પલને પ્રમોટ કરાશે. ભુસાવળ ડિવિઝનના બુરહાનપુર સ્ટેશન પર બુરહાનપુની પ્રખ્યાત હેન્ડિક્રાફ્ટની વસ્તુઓને પ્રોત્સાહન અપાશે. નાગપુર સ્ટેશન પર આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવેલા બાંબુ, સોલાપુરમાં સોલાપુરની પ્રખ્યાત ચાદર વગેરેનો સમાવેશ થાય છે.

વેસ્ટર્ન રેલેએ પણ ભાવનગર અને વડોદરા સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોડક્ટ“ યોજના ચાલુ કરી છે.

Dahisar civil engineer fraud એક ક્લિક અને ખાતું ખાલી! મુંબઈમાં સાયબર ઠગાઈનો નવો શિકાર બન્યા એન્જિનિયર, જાણીને તમે પણ ફોન વાપરતા પહેલા ચેતી જશો
Malad writer property fraud રોકાણના નામે કરોડોની છેતરપિંડી, મુંબઈમાં મહિલા લેખિકા પાસેથી પ્રોપર્ટી ડિલના બહાને ખંખેરી લીધા અધધ… રૂપિયા!
Bandra fake sticker case ધારાસભ્યનું નામ અને નેમપ્લેટ લગાવીને ફરતા પેટ શોપના માલિકની પોલ ખુલી, બાંદ્રા પોલીસે નોંધી એફઆઈઆર
Cricket umpire attack case ક્રિકેટ મેચ દરમિયાન અમ્પાયર પર બેટથી હુમલો કરનાર વોન્ટેડ આરોપી ૩૬ વર્ષ બાદ મીરા રોડથી ઝડપાયો
Exit mobile version