ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ એપ્રિલ 2021
શનિવાર
મુંબઈ શહેરના ભાયંદર વિસ્તાર માં ૪૦૦૦થી વધારે સ્ટીલના યુનિટ આવેલા છે. અહીં ૪૦થી ૫૦ હજાર મજૂરો કામ કરે છે. આ મજુરો માંથી મોટા ભાગે મજૂરો ઉત્તર પ્રદેશ અને બિહાર થી આવે છે. કેટલાક મજૂરો રાજસ્થાનના પણ હોય છે. જોકે આ વખતે ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણી, મે મહિનામાં લગ્નસરાની મોસમ તેમજ લોકડાઉન અને કોરોના ને કારણે મોટી સંખ્યામાં મજૂરોએ પલાયન શરૂ કર્યું છે. આ પગલાંને કારણે ભાયંદર વિસ્તાર માં આવેલો સ્ટેનલેસ સ્ટીલ વ્યવસાય ચિંતામાં છે. વ્યવસાય સાથે જોડાયેલા અમુક લોકોનું માનવું છે કે પરિસ્થિતિ થાળે પડતા મજૂરો પાછા આવશે. પરંતુ આ વખતે કોરોના નો બીજો ફેસ કેટલો લાંબો ચાલે છે તેની ઉપર સર્વે કોઈની નજર ટકેલી છે. આમ કોરોનાને કારણે મુંબઈનો વધુ એક વ્યવસાય અડચણમાં છે.
શું મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ પંપ બંધ કરાવશે? આપ્યા આ સંકેત