Coastal Road: મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત…. કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો આ તારીખથી ટોલ ફ્રી ખુલ્લો મુકાશે..

Coastal Road: મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કોસ્ટલ રોડનું નિરીક્ષણ કર્યું હતું. પ્રથમ તબક્કો 31 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવાનો છે." કોસ્ટલ રોડ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 11 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે. આનાથી મુસાફરોને ફાયદો થશે, ખાસ કરીને સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન જ્યારે ભારે ટ્રાફિક હોય છે.

by Bipin Mewada
Coastal Road Chief Minister Eknath Shinde's big announcement.... The first phase of Coastal Road Project will be opened toll free from this date..

 News Continuous Bureau | Mumbai

Coastal Road: મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ ( CM Eknath Shinde ) જાહેરાત કરી હતી કે મુંબઈ-વરલી કોસ્ટલ રોડ વચ્ચે કોઈ ટોલ વસૂલવામાં (  Toll collection ) આવશે નહીં. રવિવારે 7 જાન્યુઆરીએ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કોસ્ટલ રોડનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ સીએમ શિંદેએ કહ્યું હતું કે, “પ્રથમ તબક્કો 31 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવાનો છે.” કોસ્ટલ રોડ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 11 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે. આનાથી મુસાફરોને ફાયદો થશે, ખાસ કરીને સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન જ્યારે ભારે ટ્રાફિક હોય છે. 

મળતી માહિતી મુજબ, સરકારે શિવડી- ન્હાવાશેવા ટ્રાન્સ હાર્બર લિંક પુલ પર 250 રૂપિયા ટોલ વસૂલવાનો નિર્ણય કર્યો છે. જેમાં વિપક્ષોએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. એવામાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, કોસ્ટલ રોડ ટનલનો ( Coast Road Tunnel ) ઉપયોગ કરવા માટે મુસાફરોને ટોલ ટેક્સ ( Toll tax ) ચૂકવવો પડશે નહીં.” શિંદેએ એ પણ માહિતી આપી હતી કે પ્રોજેક્ટનો બીજો તબક્કો મે 2024 સુધીમાં પૂર્ણ થશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અંતમાં જણાવ્યું હતું કે, “તે પછી વધુ બાંધકામ ચાલુ રહેશે. આ ટનલ પૂર્ણ થયા પછી ટ્રાફિક આપોઆપ સરળ થઈ જશે.”

પ્રાપ્ત માહિતી મુજબ, કોસ્ટલ રોડ 31 જાન્યુઆરીથી શરૂ થશે. મરીન ડ્રાઇવથી ( Worli Sea Link ) વરલી સી-ફેસ સુધીનો કોસ્ટલ રોડ ટનલ 31 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે અને ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. આ ટનલ એડવાન્સ ટેક્નોલોજીથી બનાવવામાં આવી રહી છે. આ ટનલમાં આગ કે ધુમાડાના કિસ્સામાં મુસાફરોને ગૂંગળામણનો અનુભવ થશે નહીં. ધુમાડો બહાર કાઢવાની વ્યવસ્થા પણ આ ટનલમાં કરવામાં આવી છે.

શિવડી- ન્હાવાશેવા દરિયાઈ સેતુ પર 250 રૂપિયાનો ટોલ વસૂલવામાં આવશે…

 

પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી બાંદ્રા વર્લી સી લિંક સુધીનો 10.58 કિમીનો કોસ્ટલ રોડ ત્રણ તબક્કામાં વહેંચાયેલો છે.

પ્રિન્સેસ સ્ટ્રીટ બ્રિજ – પ્રિયદર્શિની પાર્ક = 4.05 કિમી
પ્રિયદર્શિની પાર્કથી બરોડા પેલેસ = 3.82 કિમી
બરોડા પેલેસથી બાંદ્રા વરલી સિલિંક = 2.71 કિમી

આ સમાચાર પણ વાંચો :  Boycott Maldives: માલદીવ પર ભારતનો ગુસ્સો ભારે પડ્યો… હવે આ ટ્રાવેલ કંપનીએ પણ રદ કર્યા તમામ ફ્લાઈટના બુકીંગ..

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્ય સરકારે ( State Govt ) 12 જાન્યુઆરીથી શિવડી- ન્હાવાશેવા દરિયાઈ સેતુને સેવામાં લાવવાના પગલાં શરૂ કરી દીધા છે. આ દરિયાઈ સેતુનું ઉદ્ઘાટન 12 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. આ દરિયાઈ સેતુ પર વાહનો માટે કેટલો ટોલ વસૂલવામાં આવશે તે અંગે હાલ ચર્ચા ચાલી રહી હતી. જેમાં આખરે આ દરિયાઈ પુલ પર ટોલની રકમ નક્કી કરવામાં આવી છે. શિવડીથી ન્હાવાશેવા દરિયાઈ સેતુ પર પહેલા 500 રૂપિયાનો ટોલ વસૂલવામાં આવશે તેવી ચર્ચા હતી. જોકે, હવે મળતી માહિતી મુજબ, આ દરિયાઈ સેતુ પર 250 રૂપિયાનો ટોલ વસૂલવામાં આવશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More