Dahisar Toll Plaza: મુંબઈમાં પ્રવેશ હવે સરળ? દહિસર ટોલ અંગે મોટો નિર્ણય

દહિસર ટોલ નાકાને કારણે દરરોજ લાખો વાહનચાલકોને કારણ વગર રોકાવું પડે છે

by Dr. Mayur Parikh
Dahisar Toll Plaza મુંબઈમાં પ્રવેશ હવે સરળ દહિસર ટોલ અંગે મોટો નિર્ણય

News Continuous Bureau | Mumbai

દહિસર ટોલ નાકાને કારણે દરરોજ લાખો વાહનચાલકોને કારણ વગર રોકાવું પડે છે, બળતણનો વ્યય થાય છે, પ્રદૂષણ વધે છે. આ ટોલનાકુ મીરા-ભાઈંદરથી મુંબઈની મુસાફરી નાગરિકો માટે માથાનો દુખાવો બની ગયું છે.
દરરોજ અડધો-એક કલાક મુસાફરી વધી જવી, વાહનોની લાંબી કતારો અને વધેલું પ્રદૂષણ આ બધાનો ત્રાસ છેલ્લાં ઘણાં વર્ષોથી સ્થાનિકોએ સહન કરવો પડતો હતો. આ સંદર્ભે સ્થાનિક ધારાસભ્યો, લોકપ્રતિનિધિઓ અને નાગરિકો સતત અવાજ ઉઠાવી રહ્યા હતા.

આખરે, સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના હસ્તક્ષેપથી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો. આ સંદર્ભે થયેલી બેઠકમાં દહિસરના ધારાસભ્ય પ્રકાશ સુર્વે, પોલીસ કમિશનર નિકેત કૌશિક, MSRDC અને NHAI ના અધિકારીઓ, IRB ના પ્રતિનિધિઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : No PUC No Fuel: PUC નહીં, તો ઇંધણ નહીં મળે, સરકારનો કડક આદેશ

પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકએ જણાવ્યું કે, દહિસર ટોલ નાકાને ત્યાંથી ૨ કિલોમીટર આગળ, વર્સોવા પુલ સામેની નર્સરી પાસે સ્થળાંતરિત કરવામાં આવશે. આ પ્રક્રિયા દિવાળી પહેલા પૂરી થઈ જશે.
આનાથી મીરા-ભાઈંદરના અને મુંબઈ તરફ જતા લાખો મુસાફરોને ટ્રાફિક જામ અને ટોલના ત્રાસમાંથી રાહત મળશે. સરનાઈકે વિશ્વાસ વ્યક્ત કર્યો કે શિવસેના વતી નાગરિકોને રાહત આપવા માટે આ દિવાળીની ‘ટોલ-મુક્ત પ્રવાસ’ ભેટ છે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More