Site icon

લો બોલો!! પ્રતિબંધો હટતા જ લોકલ ટ્રેનમાં ઊભરાયું કિડયારું, પ્રવાસીઓની સંખ્યા પહોંચી ગઈ આટલા લાખને પાર.. જાણો વિગતે

local will run smoothly in between borivali to dahisar

મોટા સમાચાર! બોરીવલી અને વિરાર વચ્ચે હવે મુસાફરી થશે ઝડપી, ટ્રેનોની સ્પીડ વધશે, કારણ કે…

News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત રાજ્યમાંથી કોરોનાને લગતા તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. માસ્ક પહેરવામાંથી પણ મુક્તિ આપી દેવામાં આવી છે. જનજીવન ફરી એક વખત પૂર્વવત થવા માંડ્યું છે, તેથી લોકલ ટ્રેનમાં ફરીથી એકદમ પેક થવા માંડી છે. લોકલ પ્રવાસ કરનારાઓની સંખ્યા 60 લાખને પાર કરી ગઈ છે.

Join Our WhatsApp Community

અત્યાર સુધી રેલવેમાં ફક્ત વૅક્સિનના બંને ડોઝ લેનારાને જ પ્રવાસની છૂટ હતી. જોકે કોરોનાને લગતા તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેર પણ નિયંત્રણમાં આવી ગઈ છે. તેથી મહારાષ્ટ્ર સરકારે લોકલ ટ્રેનમાં પ્રવાસને લઈને રહેલા નિયંત્રણો પણ હટાવી દીધા છે અને તમામ લોકોને રેલવેમાં પ્રવાસની છૂટ આપી દેવામાં આવી છે.

 આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં દુકાનોનાં પાટિયાંના નામ લખવાને લઈને BMCએ આપ્યો આ મહત્વનો આદેશ.. જાણો વિગતે

કોરોના પહેલા સેન્ટ્રલ રેલવેમાં રોજના સરેરાશ 40થી 50 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા. તો વેસ્ટર્ન રેલવેમાં  રોજના 30થી 35 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા. લોકલમાં પ્રવાસની છૂટ મળવાની સાથે જ ફરી એક વખત લોકલમાં કોરોનાના આગમન પહેલા જેવી ભીડ રહેતી હતી, તેવી ભીડ ઉમટી રહી છે. લોકલ ટ્રેનો ખીચોખીચ ભરેલી હોય છે. હાલ રોજના સરેરાશ સેન્ટ્રલ, હાર્બર અને વેસ્ટર્નમાં 60 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા છે.
 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version