Site icon

NSE કો-લોકેશન કૌભાંડ: કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ વડા સંજય પાંડેને આપ્યા જામીન..

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેને નેશનલ સ્ટોક એક્સચેન્જના કર્મચારીઓના કથિત ગેરકાયદે ફોન ટેપિંગના કેસમાં દિલ્હીની અદાલત દ્વારા જામીન મળ્યા બાદ બુધવારે રાત્રે તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

Ex-Mumbai police commissioner Sanjay Pandey released from Tihar Jail

News Continuous Bureau | Mumbai

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર ( Ex-Mumbai police commissioner ) સંજય પાંડેને ( Sanjay Pandey ) નેશનલ સ્ટોક એક્સચેન્જના કર્મચારીઓના કથિત ગેરકાયદે ફોન ટેપિંગના કેસમાં દિલ્હીની અદાલત દ્વારા જામીન મળ્યા ( released  ) બાદ બુધવારે રાત્રે તિહાર જેલમાંથી ( Tihar Jail )  મુક્ત કરવામાં આવ્યા હતા. પાંડેએ જુલાઈમાં ધરપકડ કર્યા બાદ લગભગ પાંચ મહિના જેલમાં વિતાવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે 8 ડિસેમ્બરે પાંડેને જામીન આપ્યા હતા. સંજય પાંડે 30 જૂન 2022 ના રોજ મુંબઈ પોલીસ કમિશનરના પદ પરથી નિવૃત્ત થયા. જે બાદ EDએ તેને માત્ર ત્રણ દિવસમાં જ નોટિસ મોકલી હતી. સંજય પાંડે નિવૃત્તિ પછી ધરપકડ થનાર ત્રીજા મુંબઈ પોલીસ કમિશનર છે.

Join Our WhatsApp Community

CBI અને ED દ્વારા આરોપ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે NSE કર્મચારીઓના ફોન ટેપિંગ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં દિલ્હીની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જુલાઈમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની ધરપકડ કરવામાં આવી હતી. પાંડે પર 2009 અને 2017 વચ્ચે ગેરકાયદેસર રીતે ફોન ટેપ કરવાનો આરોપ છે. સંજય પાંડેને 5 જુલાઈએ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ED દ્વારા સૌપ્રથમ સમન્સ મોકલવામાં આવ્યો હતો. 1986 બેચના ભારતીય પોલીસ સેવાના નિવૃત્ત અધિકારી સંજય પાંડેની સાત કલાકથી વધુની પૂછપરછ બાદ કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો: Mumbai news : મુંબઈમાં પેટ્રોલ-ડીઝલ તો ઠીક હવે પાણી પણ થયું મોંઘું.. પાલિકાએ પાણીના દરમાં 7.12 ટકાનો કર્યો વધારો

મહત્વનું છે કે પાંડે 30 જૂને સેવામાંથી નિવૃત્ત થયા હતા. સીબીઆઈને માહિતી મળી હતી કે સંજય પાંડેની કંપની લગભગ આઠ વર્ષથી નેશનલ સ્ટોક એક્સચેન્જના કર્મચારીઓના ફોન ગેરકાયદેસર રીતે ટેપ કરી રહી છે. ત્યારબાદ વિશેષ અદાલતે પાંડેને 1 લાખ રૂપિયાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત, પાંડેને તેનો પાસપોર્ટ સરેન્ડર કરવા, તપાસ અધિકારીઓને તેનો મોબાઈલ નંબર આપવા અને જામીનના સમયગાળા દરમિયાન ભારત ન છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

Maharashtra Skill Department:કૌશલ્ય વિભાગમાં સ્વદેશી કન્સલ્ટન્સી કંપનીઓને જ પ્રાધાન્ય મળશે: મંત્રી લોઢા
Mumbai GRP: મુંબઈમાં જીઆરપીના 13 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, મુસાફરો પાસેથી ખંડણી વસૂલવાનો આરોપ
Worli Sea Link Accident: Coastal Road–BKC Connector પર કારની ટક્કરે બે પોલીસકર્મીઓને ભોગ બનવા પડ્યા
Kandivali Murder: પોલીસની હાજરીમાં થયેલી હત્યાથી લોકોમાં ઉગ્ર રોષ
Exit mobile version