બસ બાદ હવે ચાલુ લોકલ ટ્રેનના વ્હીલમાં લાગી આગ, મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો.. જુઓ વિડીયો

by kalpana Verat
Fire Broke Out In The Wheel Of Local Train Near Asangaon Railway Station

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં આગની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. મુંબઈ શહેરમાં બિલ્ડીંગ, કાર, બસ બાદ હવે શહેરની લાઈફલાઈન એવી લોકલ ટ્રેનના પૈડાંમાં આગ  લાગી હોવાના અહેવાલ આવી રહ્યા છે. મધ્ય રેલવેના આસનગાંવ સ્ટેશન પાસે લોકલ ટ્રેનના કોચમાં આગ લાગી હતી. કસારાથી મુંબઈ CST જતી વખતે રેલવેની કસારા CST લોકલ ટ્રેનના પૈડાંમાં આગ લાગી હતી. કસારાથી મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જતી ટ્રેન સવારે 8:18 વાગ્યે કસારાથી નીકળી હતી. આ  ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ મધ્ય રેલવેના આસનગાંવ રેલ્વે સ્ટેશન નજીક મુંબઈ તરફ જતી કસારા લોકલના પૈડામાંથી આગ અને ધુમાડો નીકળવા લાગ્યો, ત્યારે મુસાફરો લોકલમાં આગ લાગી શકે તેવા ડરથી લોકલને અધવચ્ચે અટકાવી હતી અને નીચે ઉતરી ગયા હતા.

એક મુસાફરે તરત જ આસનગાંવ સ્ટેશન માસ્ટરને આ અંગે જાણ કરી. ઘટનાની જાણ થતા જ મોટરમેન, ગાર્ડ ઘટનાસ્થળે દોડી ગયા હતા. 15 થી 20 મિનિટ બાદ ટ્રેનને ફરીથી મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ માટે રવાના કરવામાં આવી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.  બ્રેક્સમાં ઘર્ષણના કારણે લોકલના વ્હીલમાં આગ લાગી હોવાનું કહેવાય છે 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More