Site icon News Continuous Bureau | Mumbai

વાવાઝોડના પ્રતાપે તળાવોની સપાટીમાં વધારો : મુંબઈને પાણી પૂરું પાડનારાં તળાવોમાં ચાર દિવસમાં સૌથી વધુ વરસાદ વિહાર અને તુલસીમાં; જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 મે 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈને પાણી પૂરું પાડનારાં તળાવોમાં હાલ ફકત 18 ટકા પાણી બાકી રહ્યું છે, ત્યારે તાઉતે વાવાઝોડાની અસરને કારણે આ તળાવોમાં સારો એવો વરસાદ પડ્યો છે. ચાર દિવસમાં સૌથી વધુ વરસાદ વિહાર અને તુલસી તળાવમાં પડ્યો હતો.

સાત તળાવમાંથી પાંચ તળાવમાં 17 મેથી 20 મે, 2021 સુધી ચાર દિવસમાં સૌથી વધુ વરસાદ એટલે કે 210 મિલીમીટર (સવાઆઠ ઇંચ) વરસાદ મુંબઈમાં આવેલા વિહાર તળાવમાં પડ્યો હતો. મોડક સાગરમાં 178 મિલીમીટર(સાત ઇંચ), મધ્ય વૈતરણામાં 62 મિલીમીટર(સવાબે ઇંચ), તાનસામાં 59 મિલીમીટર (સવાબે ઇંચ) અને ભાતસામાં 29 મિલીમીટર(સવા ઇંચ) વરસાદ નોંધાયો છે, તો અપર વૈતરણામાં નોંધનીય વરસાદ પડ્યો નહોતો.

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈને દરરોજ 3,850 મિલિયન લિટર જેટલું પાણી આપવામાં આવે છે. જે સાત તળાવમાંથી પૂરું પાડવામાં આવે છે. સાતમાંથી પાંચ તળાવ BMCની માલિકીના છે. અપર વૈતરણા અને ભાતસા રાજ્ય સરકારની માલિકીના છે.

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version