Site icon News Continuous Bureau | Mumbai

વાવાઝોડના પ્રતાપે તળાવોની સપાટીમાં વધારો : મુંબઈને પાણી પૂરું પાડનારાં તળાવોમાં ચાર દિવસમાં સૌથી વધુ વરસાદ વિહાર અને તુલસીમાં; જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 મે 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈને પાણી પૂરું પાડનારાં તળાવોમાં હાલ ફકત 18 ટકા પાણી બાકી રહ્યું છે, ત્યારે તાઉતે વાવાઝોડાની અસરને કારણે આ તળાવોમાં સારો એવો વરસાદ પડ્યો છે. ચાર દિવસમાં સૌથી વધુ વરસાદ વિહાર અને તુલસી તળાવમાં પડ્યો હતો.

સાત તળાવમાંથી પાંચ તળાવમાં 17 મેથી 20 મે, 2021 સુધી ચાર દિવસમાં સૌથી વધુ વરસાદ એટલે કે 210 મિલીમીટર (સવાઆઠ ઇંચ) વરસાદ મુંબઈમાં આવેલા વિહાર તળાવમાં પડ્યો હતો. મોડક સાગરમાં 178 મિલીમીટર(સાત ઇંચ), મધ્ય વૈતરણામાં 62 મિલીમીટર(સવાબે ઇંચ), તાનસામાં 59 મિલીમીટર (સવાબે ઇંચ) અને ભાતસામાં 29 મિલીમીટર(સવા ઇંચ) વરસાદ નોંધાયો છે, તો અપર વૈતરણામાં નોંધનીય વરસાદ પડ્યો નહોતો.

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈને દરરોજ 3,850 મિલિયન લિટર જેટલું પાણી આપવામાં આવે છે. જે સાત તળાવમાંથી પૂરું પાડવામાં આવે છે. સાતમાંથી પાંચ તળાવ BMCની માલિકીના છે. અપર વૈતરણા અને ભાતસા રાજ્ય સરકારની માલિકીના છે.

Mumbai Fake Mantralaya Officer Arrest| મુંબઈમાં મંત્રાલયના નકલી અધિકારી બની વૃદ્ધા સાથે ૬૦.૪૭ લાખની છેતરપિંડી, માલાડ પોલીસે આરોપીને દબોચ્યો
Navi Mumbai Airoli Molestation Case। રાહદારી મહિલાઓનો પીછો કરી અડપલાં કરનારો સ્કૂટર સવાર જેલના સળિયા પાછળ
Mumbai Anti Narcotics Cell Action। એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી રીઢી મહિલા ડ્રગ પેડલરની અટકાયત, નાશિક જેલમાં ધકેલાઈ
Mumbai Versova Dahisar Coastal Road। મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે ૧,૨૦૦ વૃક્ષો કાપવા મંજૂરી, ૭૦૦ વૃક્ષોને પનવેલમાં રીપ્લાન્ટ કરાશે
Exit mobile version