Site icon

મુંબઈમાં કોરોનાનો આંકડો 600થી નીચે આવતો નથી શું દાળમાં કંઈ કાળુ છે? જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,28  જૂન 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. મુંબઈમાં કોરોનાના નવા દર્દીની સાથે જ મૃતકોના આંકડામા ધરખમ  ઘટાડો આવી ગયો છે. છતાં મુંબઈમાં કોરોનાના નવા કેસનો આંકડો છેલ્લા થોડા દિવસથી 600ની નીચે જતો જ નથી. ત્યારે  મુંબઈમાં કોઈ રાહત આપવી ના પડે તે માટે જાણી જોઈ તો BMC આંકડો ઊંચો નથી બતાવતીને એવી શંકા  ઉપસ્થિત  થઈ રહી છે.

મુંબઈમાં  27 જૂન, રવિવારે કોરોનાના  746 કેસ અને 13 મૃત્યુ નોંધાયા હતા. શનિવારે 26 જૂનના 648 કેસ અને 15 મૃત્યુ, 25 જૂન શુક્રવારના 693 પોઝિટિવ કેસ અને 20 મોત, 24 જૂન ગુરુવારના  789 કેસ અને 10 મોત,  23 જૂન બુધવારના  863 કેસ અને 13 મોત નોંધાયા હતા. છેલ્લા એક અઠવાડિયાથી મુંબઈમાં સતત 600ની ઉપર કેસ નોંધાઈ રહ્યા છે. અગાઉ મુંબઈમાં કોરોનાના સરેરાશ કેસ 45થી 550ની આસપાસ આવી ગયા હતા.

થોડા સમય પહેલા મુંબઈ પાલિકાએ કોરોનાની ટેસ્ટિંગમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો કરી નાખ્યો હતો. એ સાથે જ કોરોનાના કેસમાં અને મૃત્યુઆંકમાં ઘટાડો થયો હતો. કોરોના પોઝિટિવિટી રેટ પણ ઘટી ગયો હતો. તેથી મુંબઈમાં પ્રતિબંધોમાં રાહત આપવાની દરેક સ્તરેથી માગણી થઈ રહી હતી. જોકે અચાનક પાલિકાએ કોરાનાની ટેસ્ટિગ વધારી દીધી હતી. તેની સાથે જ દરરોજ નોંધાતા કેસમાં પણ વધારો જણાયો હતો. છેલ્લા એક અઠવાડિયામાં સરેરાશ 600ની ઉપર કેસ નોંધાયા છે. ટેસ્ટિગમાં વધારો તો કેસમાં વધારો થવાનું ચાલુ થઈ ગયું છે. તેથી મુંબઈમાં મુકાયેલા નિયંત્રણો શિથિલ કરવા ના પડે તે માટે પાલિકા જાણી જોઈને તો આવું નથી કરી રહી એવી શંકા થઈ રહી છે.

લોકલ ટ્રેનમાં બોગસ આઈ કાર્ડ સાથે પ્રવાસ કરનારાને રોકવા મહારાષ્ટ્ર સરકારનો નવો કિમીયો. હવે પ્રવાસીઓ ને ટ્રાવેલ કરતા પહેલા કરવું પડશે આ કામ. નહીંતો દંડાશો…જાણો વધુ વિગત

પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જોકે આ વાતને રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આવશ્યકતા મુજબ ટેસ્ટિંગ વધારવા અને ઘટાડવા વિશે નિર્ણય લેવામાં આવે છે. બીજી લહેર નિયંત્રણમાં આવી છે. છતાં બેદરકારી દાખવવી પરવડશે નહીં. તેથી જે વિસ્તારમાં કેસમાં વધારો જણાય ત્યાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવે છે. હાઈ રિસ્ક સહિત ક્રોસ ચેકિંગ વગેરે પણ કરવામાં  આવે છે. તેથી અમુક વખતે ટેસ્ટિંગ વધી ગયેલા જણાય છે. ટેસ્ટિંગ વધારવા અને નિયંત્રણો વઘ-ઘટ કરવા વચ્ચે કોઈ સંબંધ નથી.

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version