Site icon

મુંબઈમાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવાં કેસમાં નોંધપાત્ર વધારો .. આનુ સાચું કારણ જાણી તમે પણ ચોંકી જશો..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

16 સપ્ટેમ્બર 2020

એક બાજુ કોરોનાનું સંક્રમણ અને બીજીબાજુ શહેરમાં અચાનક મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા જેવાં કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન ઘણા લોકો શહેરમાં પોતાનાં ઘર બંધ કરીને વતન જતા રહયાં છે. આ અંગે બીએમસીના જણાવ્યા અનુસાર, મુંબઇમાં આ લોક કરેલા મકાનો, મચ્છરોની ઉત્પત્તિ માટે સલામત આશ્રયસ્થાન બની ગયા છે. નાગરિક સંસ્થાએ દાવો કર્યો છે કે આઠ મહિના લાંબી કોમ્બિંગ ઓપરેશન દરમિયાન શહેરભરમાં હજારો મચ્છરોના ઉછેરના સ્થળો શોધી કાઢવામાં આવ્યા હતા અને નાશ કરવામાં આવ્યા હતા. આ વર્ષે ઓગસ્ટમાં, BMC એ આઠ મહિનાના ગાળામાં શહેરમાંથી 43,607 મચ્છરોના સંવર્ધન સ્થળોનો નાશ કર્યો હતો. ડેન્ગ્યુનું કારણ બનેલા "એડીસ એજિપ્ટી" મચ્છરના લાર્વા અને '' એનોફિલ્સ સ્ટેફિની '' મચ્છરના 8,456 લાર્વા મલેરિયાનું કારણ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતરમાં, બીએમસીના જંતુનાશક અધિકારીના જણાવ્યાં મુજબ મહાલક્ષ્મીના ધોબી ઘાટ પર 160 થી વધુ બંધ મકાનો પર મચ્છરની દવા છાંટીને જંતુ મુક્ત કર્યા છે. જુલાઈ અને ઑગસ્ટમાં જાણવા મળ્યું હતું કે ધોબી ઘાટની આસપાસ મેલેરિયાના કેસ વધુ ફેલાયા છે. જેનું કારણ તપાસતાં માલુમ પડ્યું કે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ઝૂંપડપટ્ટીમાં અને નાના મકાનોને તાળા મારી દેવાયા છે અને કબજેદારો તેમના વતન જવા રવાના થયા છે. આ મકાનો લોક હોવાથી મનપાને કોમ્બીંગ કામગીરીમા અવરોધે ઉભા થઇ રહયાં છે. આવા બંધ મકાનોમાં મોટી સંખ્યામાં મચ્છરોના કારણે ધોબી ઘાટ, મહાલક્ષ્મી અને શહેરના અન્ય ઘણા ભાગોમાં મેલેરિયાની ઘટનાઓ વધી છે."

Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Exit mobile version