Maha Mumbai Metro: પ્રવાસીઓને હવે ટિકિટ કતારમાંથી મળશે મૂક્તી, મેટ્રો વનની જેમ હવે 2A, 7 રૂટ પર ટૂંક સમયમાં રજૂ થશે સ્માર્ટ બેન્ડ..જાણો વિગતે

Maha Mumbai Metro: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) મહામુંબઈ મેટ્રો માટે ઓન ધ ગો ટ્રાવેલ બેન્ડ અને NCMC વોચ નામની નવી ટિકિટિંગ સિસ્ટમ વિકસાવવા માટે હાલ કામ કરી રહી છે.

by Bipin Mewada
Maha Mumbai Metro Like Metro One now Smart Band will be introduced soon on 2A, 7 routes; Tourists will get the tickets from the queue..

News Continuous Bureau | Mumbai

Maha Mumbai Metro: મુંબઈમાં મહા મુંબઈ મેટ્રો બોર્ડ દ્વારા સંચાલિત નવી ડીએન નગરથી દહિસર મેટ્રો લાઇન 2A અને અંધેરી પૂર્વથી દહિસર મેટ્રો 7 લાઇન પરના મુસાફરોને હવે ટિકિટ માટે કતારોમાં ઉભા રહેવાથી મુક્તી મળશે. મહામુંબઈ મેટ્રો મુસાફરોની સુવિધા માટે હવે સ્માર્ટ બેન્ડ ( Smart band ) રજૂ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ( NPCI ) મહામુંબઈ મેટ્રો માટે ઓન ધ ગો ટ્રાવેલ બેન્ડ અને NCMC વોચ નામની નવી ટિકિટિંગ સિસ્ટમ વિકસાવવા પર હાલ કામ કરી રહી છે.  

આ નવી સિસ્ટમમાં સ્માર્ટ બેન્ડ વિકસાવવામાં આવી રહી છે. જેથી મુસાફરોને ટિકિટ ( Metro Ticket ) માટે કતારમાં ઊભા ન રહેવું પડે અથવા ટિકિટ ખરીદવા માટે QR કોડ સ્કેન ન કરવો પડે. આ ચુકવણી સિસ્ટમ SBI, NPCI દ્વારા વિકસાવવામાં આવી રહી છે. મુસાફરો આ બેન્ડમાં રિચાર્જ અને પૈસા જમા કરાવી શકે છે.

Maha Mumbai Metro: એપ્રિલથી મેટ્રો વન પર આની શરૂ કરવામાં આવ્યું છે

એપ્રિલથી મેટ્રો ( Mumbai Metro ) વન પર આની શરૂ કરવામાં આવ્યું છે – આ સિસ્ટમ એપ્રિલ મહિનામાં મેટ્રો વન રૂટ પર લગાવવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં, આ મેટ્રો લાઇન પર 693 મુસાફરોએ આ સ્માર્ટ બેન્ડ ખરીદ્યું છે અને તેઓ તેમની મુસાફરી માટે આ નવી સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  CM Eknath Shinde : મુખ્યમંત્રી ફરી દેવદૂત બન્યા, માર્ગ અકસ્માતમાં ઘાયલ જૈન સાધ્વીની મદદે દોડી આવ્યા CM એકનાથ શિંદે; જુઓ વિડિયો..

આ રિસ્ટ બેન્ડ જેવું સ્માર્ટ બેન્ડ હશે. આ સ્માર્ટ બેન્ડ સાથે વોલેટમાં મેટ્રો કાર્ડ કે બેગમાં ટિકિટ રાખવાની જરૂર  રહેશે નહીં. મેટ્રો સ્ટેશન પર મોબાઈલ કાઢીને QR કોડ સ્કેન કરવાની પણ આમાં જરૂર રહેશે નહીં. મેટ્રો સ્ટેશનમાં એન્ટ્રી મેટ્રો સ્ટેશનના AFC ગેટ પર રિસ્ટબેન્ડને ટેપ કરીને જ કરી શકાય છે, આ માટે તમારે ટિકિટ લેવાની કે મોબાઈલથી QR કોડ સ્કેન કરવાની જરૂર રહેશે નહીં. અધિકારીઓએ કહ્યું કે આનાથી મુસાફરોનો સમય બચશે અને તેમના પ્રવાસમાં સરળતા રહેશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More