ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૨ એપ્રિલ 2021
ગુરૂવાર
મહારાષ્ટ્ર સરકારે નવો આદેશ જાહેર કર્યો છે જે મુજબ હવે મુંબઈની લોકલ ટ્રેન, મેટ્રો ટ્રેન અને મોનો ટ્રેન આ ત્રણે ઊભા સામાન્ય માણસની ઍન્ટ્રી બંધ કરવામાં આવી છે.
એટલે કે પહેલા જે અમુક કલાકો દરમિયાન સામાન્ય ટ્રેનમાં સફર કરી શકતા હતા તે હવે નહીં કરી શકે.
લોકલ ટ્રેનમાં મેડિકલ સ્ટાફ સફર કરી શકશે. પરંતુ સામાન્ય વ્યક્તિઓને ટ્રેનમાં એન્ટ્રી નહીં મળે. આ ઉપરાંત ટ્રેનમાં અને સાર્વજનિક બસમાં માત્ર 50 ટકા હાજરી સાથે સફર કરી શકાશે.
