News Continuous Bureau | Mumbai
ભારતીય રેલવેની સૌથી પ્રીમિયમ ટ્રેન તરીકે ઓળખાતી વંદે ભારત એક્સપ્રેસ મુસાફરોની પ્રિય બની ગઈ છે. આ એક્સપ્રેસ ઓછા સમયમાં વધુ અંતર કાપે છે અને આધુનિક સુવિધાઓને કારણે તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ દરમિયાન, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી બતાવીને શરૂ કરવામાં આવેલી દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસના સમયપત્રકમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન પશ્ચિમ રેલવે ઝોન દ્વારા સંચાલિત છે.
હવે ૮ સ્ટેશનો પર સ્ટોપ
પહેલા સાત સ્ટેશનો પર ઊભી રહેતી ટ્રેન નંબર ૨૦૯૦૧/૨૦૯૦૨ હવે આઠ સ્ટેશનો પર ઊભી રહેશે. આણંદ જંકશન ખાતે નવો સ્ટોપ ઉમેરવામાં આવ્યો છે. આમ, હવે આ વંદે ભારત એક્સપ્રેસ બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સુરત, વડોદરા જંકશન, આણંદ જંકશન અને અમદાવાદ જંકશન પર ઊભી રહેશે. આ ટ્રેન બુધવાર સિવાય અઠવાડિયામાં રોજ દોડશે.
આ સમાચાર પણ વાંચો : MHADA: મ્હાડા ના ઘર હવે લોટરી વગર વેચાશે! જાણો શા માટે લેવાયો આ નિર્ણય
વદે ભારત એક્સપ્રેસનું નવું સમયપત્રક
વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર ૨૦૯૦૧) મુંબઈ સેન્ટ્રલથી સવારે ૬ વાગ્યે ઉપડે છે અને બપોરે ૧૨:૨૫ વાગ્યે ગાંધીનગર રાજધાની પહોંચે છે. પરત મુસાફરીમાં ટ્રેન નંબર ૨૦૯૦૨ ગાંધીનગરથી બપોરે ૨:૦૫ વાગ્યે ઉપડે છે અને રાત્રે ૮:૩૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચે છે. હવે આ સમયપત્રકમાં આણંદનો સ્ટોપ પણ ઉમેરવામાં આવ્યો છે, જેનાથી મુસાફરોને વધુ સુવિધા મળશે.