Site icon

MHADA Housing : હજારો લોકોનું ઘર લેવાનું સપનુ સાકાર થશે. મ્હાડા દ્વારા મુંબઈ, પુણે, નાશિક અને અન્ય જિલ્લાઓમાં 19,497 ઘરોનું નિર્માણ

MHADA Housing : સામાન્ય લોકોનું ઘર લેવાનું સ્વપ્ન થશે સાકાર

Mhada to Build 19,497 Houses in Mumbai, Pune, Nashik, and Other Districts

Mhada to Build 19,497 Houses in Mumbai, Pune, Nashik, and Other Districts

News Continuous Bureau | Mumbai

MHADA Housing : મુંબઈ: મહારાષ્ટ્ર ગૃહનિર્માણ અને ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ (Mhada) ના 2025-2026 ના બજેટમાં, મ્હાડા દ્વારા મુંબઈ, પુણે, કોકણ, નાશિક, અમરાવતી, છત્રપતિ સંભાજીનગર, નાગપુર આ પ્રાદેશિક મંડળો મારફતે કુલ 19,497 ઘરોનું નિર્માણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ માટે બજેટમાં 9,202.76 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

MHADA Housing : મ્હાડા દ્વારા મુંબઈ મંડળમાં આટલા ઘરો બનાવવામાં આવશે.

મ્હાડાના મુંબઈ મંડળ હેઠળ આવતા આર્થિક વર્ષમાં 5,199 ઘરોનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ છે. આ માટે 2025-26 ના બજેટમાં 5,749.49 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

MHADA Housing : કોકણ મંડળ

 કોકણ મંડળ હેઠળ 9,902 ઘરોનું નિર્માણ કરવાનો લક્ષ્ય છે. આ માટે 2025-26 ના બજેટમાં 1,408.85 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai House Registration : મુંબઈમાં ઘર નોંધણીમાંથી મોટી આવક, આટલા હજાર કરોડ ભેગા થયા.

MHADA Housing  અન્ય મંડળો

 પુણે મંડળ હેઠળ 1,836 ઘરોનું નિર્માણ કરવાનો લક્ષ્ય છે. આ માટે 2025-26 ના બજેટમાં 585.97 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નાગપુર મંડળ હેઠળ 692 ઘરોનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ છે. આ માટે 2025-26 ના બજેટમાં 1,009.33 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. છત્રપતિ સંભાજીનગર મંડળ હેઠળ 1,608 ઘરોનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ છે. આ માટે 231.10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નાશિક મંડળ હેઠળ 91 ઘરોનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ છે. આ માટે 86 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અમરાવતી મંડળ હેઠળ 169 ઘરોનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ છે. આ માટે 65.96 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

Bhayander: મુંબઈના ભાયંદરમાં દાંડિયા કાર્યક્રમમાં કોમી તણાવ, એક યુવક નું આધાર કાર્ડ મળતા શરૂ થઇ બબાલ
Mumbai attacks: મુંબઈ હુમલા પર ચિદમ્બરમની મોટી કબૂલાત, યુએસ વિદેશ મંત્રી કોન્ડોલીઝા રાઇસ ને લઈને કહી આવી વાત
Mumbai Weather: ઠાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદની સંભાવના,મુંબઈ માટે આજે જારી કરવામાં આવ્યું આ એલર્ટ! જાણોકેવું રહેશે હવામાન?
Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Exit mobile version