Mission Raftaar: મુંબઈમાં સ્વતંત્રતા દિવસથી શરુ થશે મિશન રફ્તાર; મુંબઈ-અમદાવાદ વંદે ભારત 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે…

Mission Raftaar: રેલવેએ હાલ મુંબઈ-નાગદા અને મુંબઈ-અમદાવાદ રૂટ પર 160ની સ્પીડ વધારા સાથે ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે. ટ્રેનોની સ્પીડ વધવાથી મુંબઈ અને અમદાવાદ વચ્ચે વર્તમાન સમયમાં 35 થી 45 મિનિટની બચત થશે. હાલમાં વંદે ભારતથી 5.25 કલાક લાગે છે.

by Bipin Mewada
Mission Raftaar to start from Independence Day in Mumbai; Mumbai-Ahmedabad Vande Bharat will run at a speed of 160 km per hour

 News Continuous Bureau | Mumbai

Mission Raftaar:  દેશમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે 15 ઓગસ્ટથી મુંબઈ-અમદાવાદ રૂટ પર વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનો હવે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે તેવી હાલ પ્રબળ સંભાવના છે. રેલવે બોર્ડે પશ્ચિમ રેલવેને આ માટે મિશન રફ્તાર અંતર્ગત તમામ કામો પૂર્ણ કરવા અને 30 જૂનથી ટ્રાયલ શરૂ કરવા સૂચના આપી છે. જો ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે તો પ્રવાસીઓનો પ્રવાસનો સમય 30 થી 40 મિનિટ બચી જશે.

રેલ્વે બોર્ડે મિશન રફ્તાર હેઠળ મુંબઈ-દિલ્હી રેલ્વે લાઇન પર ટ્રેનોની ગતિ 160 કિલોમીટર પ્રતિ કલાક કરવાનો નિર્ણય લીધો છે. આનો પ્રથમ તબક્કો મુંબઈ-અમદાવાદ ( Mumbai-Ahmedabad ) હશે. હાલમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડી રહી છે. પશ્ચિમ રેલવેના ( Western Railway ) મુંબઈ વિભાગ પર ઉપનગરીય ટ્રેનોના વ્યસ્ત સમયપત્રકને કારણે વિરાર સુધી 130 કિમીની ઝડપ મર્યાદા છે. તીવ્ર વળાંકને કારણે રતલામ વિભાગમાં સ્પીડ વધારવી અહીં શક્ય નથી. જેના કારણે વિરારથી હવે 160 કિમીની ઝડપે ટ્રેન દોડાવવાનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.

Mission Raftaar: હાલ વંદે ભારત એક્સપ્રેસને મુંબઈ અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરવામાં 5.15 કલાક લાગે છે….

રેલ્વે બોર્ડે પશ્ચિમ રેલ્વે પર મુંબઈ અને વડોદરા વચ્ચેના વિભાગ રેલ્વે મેનેજર (ડીઆરએમ) માટે 15 ઓગસ્ટ સુધીમાં મિશન રફ્તાર હેઠળના ટ્રેક સહિતના તમામ કામો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. રૂટ પર ચાલતી ટ્રેનોની કન્ફર્મેટરી ઓસિલોગ્રાફ કાર રન (COCR) 30 જૂન સુધીમાં શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પરીક્ષણ ટ્રેનો 160 કિમીની ઝડપે દોડ્યા પછી કોચની હિલચાલને રેકોર્ડ કરવામાં મદદ કરશે. મુંબઈથી દિલ્હી ટ્રેનની ( Express Train ) મુસાફરીમાં હાલમાં 14 કલાકનો સમય લાગે છે. જેમાં હવે પ્રવાસનો સમય ઘટીને 12 કલાક કરવા માટે મિશન રફ્તાર હેઠળ ટ્રેન 160 કિમીની ઝડપે દોડશે. મુંબઈ અને દિલ્હી વચ્ચે 1,384 કિલોમીટરના રેલવે ટ્રેક છે. જેમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર 491 કિમી છે.

આ સમાચાર  પણ વાંચો :  Bondada Engineering: શેર હોય તો આવો! 10 મહિનામાં જ રોકાણકારો થયા લખોપતિ, બોંદાડા એન્જિનિયરિંગના શેરમાં આવ્યો 544%નો વધારો..

હાલ વંદે ભારત એક્સપ્રેસને ( Vande Bharat Express ) મુંબઈ અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરવામાં 5.15 કલાક લાગે છે. શતાબ્દી એક્સપ્રેસને ( Shatabdi Express ) મુસાફરી કરવામાં 6.35 કલાક લાગે છે. ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડ્યા બાદ મુસાફરીનો સમય 30 થી 40 મિનિટ બચશે. મુંબઈ-અમદાવાદ સ્ટેજ પૂર્ણ થયા બાદ રેલવે બોર્ડ દિલ્હી જતી ટ્રેનોની સ્પીડ ( Train speed ) વધારીને 160 કિમી કરવાની યોજના બનાવી રહ્યું છે.

160 કિ.મી.ની સ્પીડ ટ્રેનો માટેનું કામ પૂર્ણ કરવામાં આવ્યા..

– મુંબઈ-અમદાવાદ વચ્ચે ફેન્સીંગ

– 126 પુલનું મજબુતીકરણ

– સ્પીડ લિમિટ દૂર કરવી

– હાઈ સ્પીડ ટ્રેનો માટે 52 કિલોના બદલે 62 કિલોનો રેલ ટ્રેક નાખવાનું કામ

– અકસ્માતો અટકાવવા કવર સિસ્ટમ અમલીકરણ કરવી

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More