Mumbai Air Pollution: મુંબઈમાં પ્રદુષણ વધ્યુ, આજે હવાની ગુણવત્તાનો નિર્દેશાંક 163, BMCએ લીધો આ મોટો નિર્ણય..

Mumbai Air Pollution: જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ મુંબઈ અને દિલ્હીનું વાતાવરણ વધુને વધુ પ્રદૂષિત થઈ રહ્યું છે. AQI એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ મુજબ મુંબઈની હવા વધુ ઝેરી બની ગઈ છે. નાગરિકોને શ્વાસ અને ઉધરસની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

by Hiral Meria
Mumbai Air Pollution: Anti-smog guns, 35ft iron sheet- BMC implements measures to curb air pollution

News Continuous Bureau | Mumbai 

Mumbai Air Pollution: સપનાઓ નું શહેર…ભીડ નું શહેર.. રૂપેરી પડદા નું સર્જન સ્થળ મુંબઇમાં હવાની ગુણવત્તા ( air quality ) સતત કથળી રહી છે. પર્યાવરણવિદોના ( environmentalists ) મતે મુંબઈમાં પ્રદૂષણ ( Pollution ) વધવાનું મુખ્ય કારણ અહીં થઈ રહેલા બાંધકામ છે. આજે એટલે કે 25 ઓક્ટોબરે મુંબઈમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ( Air Quality Index ) 163 નોંધાયો છે. ઝેરી હવાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. વાયુ પ્રદૂષણના વધતા સ્તરને કારણે, મોટી સંખ્યામાં લોકો અસ્થમા અને COPD જેવા ફેફસાના રોગોનો ( Lung diseases ) સામનો કરી રહ્યા છે. હોસ્પિટલો અને ડોકટરોના દવાખાનામાં પણ દર્દીઓની સતત ભીડ રહે છે.

કેમ વધી રહ્યું છે પ્રદૂષણ?

મુંબઈમાં પ્રદૂષણનું સૌથી મોટું કારણ ટ્રાફિક છે. પર્યાવરણ નિષ્ણાતોના મતે મહાનગરમાં ચાલી રહેલા બાંધકામોને કારણે પ્રદૂષણનું સ્તર પણ વધી રહ્યું છે. વાસ્તવમાં અહીં સતત ચાલતા કામના કારણે ધૂળ-માટીનું પ્રમાણ વધ્યું છે. બાંધકામ સ્થળોએ પાણીનો વપરાશ ઓછો થાય છે. જેના કારણે વાતાવરણમાં ધૂળ-માટી ભળી રહી છે. મુંબઈમાં ખરાબ હવામાનનું આ મુખ્ય કારણ છે.

BMCનો નિર્ણય

મુંબઈની બગડતી હવાને લઈને મહાનગરપાલિકા પણ ઘણી ગંભીર છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ધૂળ ઘટાડવા માટે મુંબઈમાં વિવિધ સ્થળોએ એન્ટી સ્મોગ ગન અને પાણીના છંટકાવનો ઉપયોગ કરી રહી છે. આ અંગે BMC દ્વારા માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે. બીએમસીના જણાવ્યા અનુસાર, એક એકર અને તેનાથી વધુ વિસ્તારમાં થઈ રહેલા બાંધકામ સ્થળની આસપાસ 35 ફૂટથી વધુ ઉંચો શેડ હોવો જોઈએ. સમગ્ર બાંધકામ વિસ્તાર જ્યુટ અથવા લીલા કાપડથી ઢંકાયેલો હોવો જોઈએ. એક એકરથી ઓછા પ્લોટ પર 25 ફૂટ ઉંચો શેડ લગાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. બાંધકામ હેઠળની ઇમારત લીલા કાપડ/જ્યુટ શીટ/તાડપત્રથી ઘેરાયેલી હશે.

આ સમાચાર પણ વાંચો :  Special Trains: મુંબઈમાં ખાર-ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઇન પર ચાલી રહેલા કામને કારણે ઘણી ટ્રેનોને અસર થશે.

વાહનો અંગે મોટો નિર્ણય

બાંધકામના કાટમાળને વહન કરતા તમામ પરિવહન વાહનોને યોગ્ય રીતે તાડપત્રીથી ઢાંકેલા હોવા જોઈએ. આવા કોઈપણ વાહનને નિયત વજન કરતાં વધુ વહન કરવાની પરવાનગી નથી. તેમજ આવા તમામ વાહનોના ટાયરોને ફરજિયાતપણે સાફ કરવાના રહેશે જેથી બાંધકામની જગ્યા છોડતા પહેલા અને રસ્તા પરથી બહાર નીકળતા પહેલા ધૂળ દૂર થાય. તેમના પર પાણીનો છંટકાવ કરવામાં આવશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More