Mumbai Banganga lake :મુંબઈના ઐતિહાસિક બાણગંગાની સીડીઓ પર ફરી વળ્યું બુલડોઝર, પાલિકાના કૉન્ટ્રેક્ટર સામે થઇ કાર્યવાહી; જુઓ વિડીયો

Mumbai Banganga lake :મુંબઈના ઐતિહાસિક બાણગંગા તળાવ વિસ્તારના નવીનીકરણ અને સફાઈના કામ દરમિયાન સીડીઓ પર બુલડોઝર ચલાવનાર કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. દક્ષિણ મુંબઈમાં રાજભવન નજીક સ્થિત પુરાતત્વીય મહત્વના બાણગંગા તળાવની સફાઈ અને સુંદરતા અભિયાન દરમિયાન મંગળવારે કોન્ટ્રાક્ટર દ્વારા તળાવના પગથિયાં પર બુલડોઝર ઉતારવામાં આવ્યું હતું.

by kalpana Verat
Mumbai Banganga lake Outrage as BMC turns JCB on century-old heritage steps of Banganga lake created by Lord rama.

News Continuous Bureau | Mumbai

Mumbai Banganga lake :આર્થિક રાજધાની મુંબઈમાં પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા બાણગંગા સરોવરના નવીનીકરણ અને સફાઈ દરમિયાન સીડીઓને નુકસાન પહોંચાડવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.

Mumbai Banganga lake :બાણગંગા તળાવના પગથિયાં પર ચાલ્યું બુલડોઝર

વાસ્તવમાં દક્ષિણ મુંબઈમાં રાજભવન નજીક સ્થિત પુરાતત્વીય મહત્વના બાણગંગા તળાવની સફાઈ અને સુંદરતા અભિયાન દરમિયાન મંગળવારે કોન્ટ્રાક્ટર દ્વારા તળાવના પગથિયાં પર બુલડોઝર ઉતારવામાં આવ્યું હતું. જેના કારણે પથ્થરની બનેલી સીડીઓ તૂટી ગઈ હતી.

 

જણાવી દઈએ કે બાણગંગા સરોવરનો ઉલ્લેખ માત્ર રામાયણમાં જ નથી, તેનું ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ પણ છે. રિનોવેશનના નામે આ હેરિટેજને થઈ રહેલા નુકસાનને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બાણગંગા સરોવરના રિનોવેશનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન કોન્ટ્રાક્ટરે તળાવના પગથિયા પર બુલડોઝર ચલાવીને નુકસાન પહોચાડ્યું છે.

Mumbai Banganga lake :કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવા આદેશ

હેરિટેજને નુકસાન પહોંચાડવા બદલ કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆર નોંધવામાં આવ્યો છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને કોન્ટ્રાક્ટરની કંપનીને બ્લેકલિસ્ટ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના અધિકારીઓએ મુંબઈ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓને આગામી 72 કલાકમાં સમારકામ હાથ ધરવા જણાવ્યું છે. આ સાથે ASIએ નિર્ણય લીધો છે કે આવી ઘટનાઓને રોકવા માટે એક સ્થાનિક સમિતિની રચના કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Ghatkopar hoarding collapse : ઘાટકોપર હોર્ડિંગ ઘટનામાં મોટી કાર્યવાહી, રાજ્યના એડિશનલ ડીજીપીને કર્યા સસ્પેન્ડ; આ છે આરોપ..

Mumbai Banganga lake : BMCએ રિવાઇવલ પ્રોજેક્ટ શરૂ કર્યો

ઉલ્લેખનીય છે કે બાણગંગા તળાવની એક પ્રાચીન રચના છે. વર્ષોથી, વિવિધ કારણોસર, તળાવની સીડીના પથ્થરો અને દીપ સ્તંભ ને જર્જરિત હાલતમાં છે. આ માટે BMCએ રિવાઇવલ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જે અંતર્ગત ગયા વર્ષે તળાવના રિસ્ટોરેશનનું કામ શરૂ થયું હતું. આ પ્રોજેક્ટ હેઠળ બાણગંગા તળાવ સંકુલમાંથી કાદવ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે જ સમયે, નવેમ્બર 2022 માં બાણગંગાને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાનો સરકારી પ્રસ્તાવ જારી કરવામાં આવ્યો હતો.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More