Site icon News Continuous Bureau | Mumbai

Mumbai BEST Bus Diversion। દાદર ટ્રાફિક જામ નિવારવા બેસ્ટ બસના રૂટ બદલાયા, મુસાફરો માટે નવી એડવાઇઝરી જાહેર

Mumbai BEST Bus Diversion। એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ થતાં ભવાની શંકર રોડ અને એસ. કે. બોળે માર્ગ પર વાહનોની કતારો ટ્રાફિક પોલીસે બસો માટે નવા વૈકલ્પિક રૂટ જાહેર કર્યા.

Mumbai BEST Bus Diversion। દાદર ટ્રાફિક જામ નિવારવા બેસ્ટ બસના રૂટ બદલાયા, મુસાફરો માટે નવી એડવાઇઝરી જાહેર

Mumbai BEST Bus Diversion। દાદર ટ્રાફિક જામ નિવારવા બેસ્ટ બસના રૂટ બદલાયા, મુસાફરો માટે નવી એડવાઇઝરી જાહેર

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai BEST Bus Diversion। મુંબઈના સૌથી વ્યસ્ત ગણાતા દાદર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો બ્રિટિશ કાળનો ઐતિહાસિક એલ્ફિન્સ્ટન બ્રિજ (Elphinstone Bridge) ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજને તોડીને તેના સ્થાને ‘એમએમઆરડીએ’ (MMRDA) દ્વારા નવો આધુનિક ડબલ ડેકર બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. બ્રિજ બંધ થવાના કારણે તમામ ખાનગી વાહનો તિલક બ્રિજ અને કરી રોડ બ્રિજ તરફ વળવા લાગ્યા છે, જેના લીધે દાદર પશ્ચિમના ભવાની શંકર રોડ, કબૂતરખાના અને એસ. કે. બોળે માર્ગ પર કલાકો સુધી ભયંકર ટ્રાફિક જામ થઈ રહ્યો છે. આ ગંભીર ટ્રાફિકની કુંડીમાંથી નાગરિકોને રાહત આપવા માટે બેસ્ટ (BEST) પ્રશાસન અને મુંબઈ ટ્રાફિક પોલીસે બસના રૂટમાં મોટા ફેરફારો કર્યા છે.

ભવાની શંકર રોડ પરથી પસાર થતી ૧૨ જેટલી બેસ્ટ બસોના રૂટ ગોપાલ કૃષ્ણ ગોખલે માર્ગ તરફ ડાયવર્ટ કરાયા

ટ્રાફિક પોલીસે ભવાની શંકર રોડ પર ‘અપ’ (UP) દિશા તરફ જતી તમામ પ્રકારની વાહનોની અવરજવર બંધ કરી દીધી છે. આ પ્રતિબંધના કારણે બેસ્ટ પ્રશાસને તેના મુખ્ય બસ રૂટ નંબર ૫૬, ૮૮, ૧૧૦, ૧૫૧, ૮૧૪, ૧૬૪, ૧૭૧, ૨૦૧, ૩૦૫, ૧૨૮, ૫૨ અને ૩૫૭ માં મોટો ફેરફાર કર્યો છે. હવે આ તમામ બસો ગોપીનાથ ચવ્હાણ ચોકથી ભવાની શંકર રોડ પર જવાના બદલે નામદાર ગોપાલ કૃષ્ણ ગોખલે માર્ગ થઈને આગળ વધશે. ત્યારબાદ આ બસો પ્રબોધનકાર ઠાકરે ચોકથી જમણી તરફ વળાંક લઈને રાવ બહાદુર એસ. કે. બોળે રોડ થઈ હનુમાન મંદિર પહોંચશે અને ત્યાંથી ડાબી તરફ વળાંક લઈને એન. સી. કેળકર રોડ થઈને પોતાના નિયમિત રૂટ પર દોડશે.

વરલી ડેપોની બસો પણ પ્રબોધનકાર ઠાકરે ચોક તરફ બંધ, વૈકલ્પિક માર્ગની યાદી જાહેર

દાદર પશ્ચિમમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે એસ. કે. બોળે રોડ પર ‘ડાઉન’ (DOWN) દિશામાં પ્રબોધનકાર ઠાકરે ચોક સુધી વાહનો માટે રસ્તો બંધ કરાયો છે. જેના લીધે વરલી ડેપો વિભાગની બસ રૂટ નંબર ૬૩, ૧૬૫, ૧૬૯, ૧૭૨, ૩૫૧ અને ૩૮૫ ને હનુમાન મંદિર પાસે જમણી તરફ વળાંક લેવાની મનાઈ કરાઈ છે. હવે આ બસો ડોક્ટર યજ્ઞેશ્વર વિઠ્ઠલ પુરંદરે ચોક (કબૂતરખાના) માર્ગે આગળ વધીને ભવાની શંકર રોડ થઈ ગોપીનાથ ચવ્હાણ ચોક પહોંચશે. ત્યાંથી જમણી તરફ વળાંક લઈને કાકાસાહેબ ગાડગીળ માર્ગ, શંકર ઘાણેકર માર્ગ અને સ્વ. એકનાથ ઠાકુર ચોક થઈ અપ્પાસાહેબ મરાઠે માર્ગ દ્વારા પોતાના નિર્ધારિત રૂટ પર જશે.

દાદર સ્ટેશનથી કબૂતરખાના જતો જાવળે માર્ગ પણ બંધ, નવી શરૂ થયેલી બસ ૮૧૪ નો રૂટ બદલાયો

ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે દાદર રેલ્વે સ્ટેશનથી ડોક્ટર યજ્ઞેશ્વર વિઠ્ઠલ પુરંદરે ચોક (કબૂતરખાના) તરફ આવતો મો. ચી. જાવળે માર્ગ પણ ટ્રાફિક પોલીસ દ્વારા સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ કારણે દાદર સ્ટેશનથી ઉપડતી બસ નંબર ૧૧૮ હવે સ્ટેશનથી ડાબી તરફ વળાંક લઈ ડી’સિલ્વા રોડ માર્ગે વિસાવા હોટેલ પહોંચશે અને ત્યાંથી ડાબી તરફ વળીને એન. સી. કેળકર રોડ થઈને આગળ જશે. આ સાથે જ તાજેતરમાં શરૂ કરાયેલી નવી બસ રૂટ નંબર ૮૧૪ નો રૂટ પણ બદલાયો છે. આ બસ હવે દાદર સ્ટેશનથી ડી’સિલ્વા રોડ, વિસાવા હોટેલ, એન. સી. કેળકર રોડ, કબૂતરખાના, ભવાની શંકર રોડ થઈ ગોપીનાથ ચવ્હાણ ચોકથી યુ-ટર્ન (U-Turn) લેશે. ત્યારબાદ ગોપાલ કૃષ્ણ ગોખલે રોડથી પ્રબોધનકાર ઠાકરે ચોક થઈને સિદ્ધિવિનાયક મંદિર તરફ જશે.

👉 આ સમાચાર વાચો:
USIran War Update| દુનિયાભરને મળશે મોટી રાહત! ઈરાન સાથે યુદ્ધ રોકવા ડોનાલ્ડ ટ્રમ્પ લેશે ઐતિહાસિક નિર્ણય? ગમે ત્યારે થશે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version