193
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
અંધેરી પૂર્વ અને પશ્ચિમ, જુહુ, વિલે પાર્લે જોગેશ્વરી વગેરેના કેટલાક વિસ્તારોમાં 6 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન સવારે 6 થી 10 વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે તો કેટલાક ભાગોમાં ઓછા દબાણમાં પાણી પુરવઠો રહેશે.
આ સમયગાળા દરમિયાન બીએમસી કે / ઈસ્ટ ડિવિઝનમાં મહાકાળી ગુફા રોડ પર નંદ ભવન ઈન્ડસ્ટ્રીઝ પાસે 1200 મીમી વ્યાસ વર્સોવા આઉટલેટ પર લીકેજ રિપેર કાર્ય કરશે.
દરમિયાન, પુરવઠાને સુવ્યવસ્થિત કરવાની કામગીરીને કારણે 5 અને 6 ઓક્ટોબરે પરેલના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં મળે. પરેલ, કેલેવાડી અને નાયગામમાં મંગળવારે સવારે 10 વાગ્યાથી બુધવારે સવારે 10 વાગ્યા સુધી પાણી પુરવઠો કાપવામાં આવશે.
તેથી, BMC એ આ વિસ્તારોના રહેવાસીઓને પાણીનો વિચારપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપી છે.
You Might Be Interested In