Site icon

હાશ! 28976 બિલ્ડીંગો સીલ મુક્ત થઈ.. પણ હવે જો આટલાથી વધુ કોરોનાના દર્દી મળ્યા તો બિલ્ડીંગ પાછી સીલ થશે.. જાણો વિગત.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

01 ઓક્ટોબર 2020

છેલ્લા થોડા દિવસોથી મુંબઈમાં જુદા જુદા ઠેકાણે આવેલી ઈમારતોમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. ઈમારતો અને આસપાસના પરિસરમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય એ માટે મહાપાલિકાએ આખી ઈમારત જ સીલ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ વેળા મહાપાલિકાએ પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે.

કોરોનાગ્રસ્ત દર્દી મળે પછી પરિસ્થિતિ અનુરુપ સંપૂર્ણ ઈમારત અથવા એનો થોડો ભાગ સીલ કરવાનો નિર્ણય લીધો છે. હવે કોઈ ઈમારતમાં 10 કરતા વધારે દર્દીઓ અથવા બે કરતા વધુ માળાઓ પર કોરોનાગ્રસ્ત દર્દીઓ મળે તો આખી ઈમારત સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.. હોમ ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓને જીવનાવશ્યક વસ્તુઓ પૂરી પાડવાની જવાબદારી ઈમારતના સોસાયટીના પદાધિકારીઓને સોંપવામાં આવી છે. 

કોરોનાગ્રસ્ત વધુ દર્દી મળી આવતા આજની તારીખે 10,289 ઈમારતો સીલ કરવામાં આવી છે.  જોકે કોરોનાગ્રસ્ત દર્દીઓ મળી આવવાથી આ પહેલાં સીલ કરેલી 28,976 ઈમારતોને અવધિ પુરી થતાં અને નવા દર્દીઓ ન મળતા ઈમારતો સીલમુક્ત થઈ છે. પરિણામે આ ઈમારતોના રહેવાસીઓએ છૂટકારાનો શ્વાસ લીધો છે.

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version