Site icon News Continuous Bureau | Mumbai

હાશ! 28976 બિલ્ડીંગો સીલ મુક્ત થઈ.. પણ હવે જો આટલાથી વધુ કોરોનાના દર્દી મળ્યા તો બિલ્ડીંગ પાછી સીલ થશે.. જાણો વિગત.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

01 ઓક્ટોબર 2020

છેલ્લા થોડા દિવસોથી મુંબઈમાં જુદા જુદા ઠેકાણે આવેલી ઈમારતોમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. ઈમારતો અને આસપાસના પરિસરમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય એ માટે મહાપાલિકાએ આખી ઈમારત જ સીલ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ વેળા મહાપાલિકાએ પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે.

કોરોનાગ્રસ્ત દર્દી મળે પછી પરિસ્થિતિ અનુરુપ સંપૂર્ણ ઈમારત અથવા એનો થોડો ભાગ સીલ કરવાનો નિર્ણય લીધો છે. હવે કોઈ ઈમારતમાં 10 કરતા વધારે દર્દીઓ અથવા બે કરતા વધુ માળાઓ પર કોરોનાગ્રસ્ત દર્દીઓ મળે તો આખી ઈમારત સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.. હોમ ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓને જીવનાવશ્યક વસ્તુઓ પૂરી પાડવાની જવાબદારી ઈમારતના સોસાયટીના પદાધિકારીઓને સોંપવામાં આવી છે. 

કોરોનાગ્રસ્ત વધુ દર્દી મળી આવતા આજની તારીખે 10,289 ઈમારતો સીલ કરવામાં આવી છે.  જોકે કોરોનાગ્રસ્ત દર્દીઓ મળી આવવાથી આ પહેલાં સીલ કરેલી 28,976 ઈમારતોને અવધિ પુરી થતાં અને નવા દર્દીઓ ન મળતા ઈમારતો સીલમુક્ત થઈ છે. પરિણામે આ ઈમારતોના રહેવાસીઓએ છૂટકારાનો શ્વાસ લીધો છે.

Chembur Murder Case ચેમ્બુરમાં રિક્ષામાંથી મળી આધેડની લોહીલુહાણ લાશ પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
Mumbai AutoRickshaw Crime મુસાફરી દરમિયાન મહિલાનો ગુપ્ત વીડિયો ઉતારી ધમકાવનાર રિક્ષાચાલક ઝડપાયો શારીરિક સંબંધની કરી માંગણી
Domestic Gas Cylinder Commercial Use ચેમ્બુરમાં રેસ્ટોરન્ટમાં દરોડો સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ પકડાયો
Ghatkopar Chain Snatching Attempt ઘાટકોપરમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ પોલીસ સિપાઈએ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટારાને દબોચ્યો
Exit mobile version