Site icon

મુંબઈમાં ઝૂંપડપટ્ટી અને ચાલીમાં રહેતા લોકો માટે સારા સમાચાર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કરી આ મોટી જાહેરાત..

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મુંબઈમાં બંધ પડેલી મિલોને લઈને મહત્વની માહિતી આપી છે. આ મિલ પરિસરમાં રહેતા હજારો લોકોને ફાયદો થશે.

Mumbai: Centre to fast track redevelopment of chawls on NTC mill lands, says Piyush Goyal

મુંબઈમાં ઝૂંપડપટ્ટી અને ચાલીમાં રહેતા લોકો માટે સારા સમાચાર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કરી આ મોટી જાહેરાત..

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશન (NTC)ની નવ મિલની જમીન પર 11 ચાલીઓના પુનઃવિકાસ માટેનો માર્ગ મોકળો થયો છે. રાજ્ય સરકાર આ ચાલીઓને મ્હાડા પાસેથી રિ-ડેવલપ કરવા જઈ રહી છે.  કેન્દ્રીય કાપડ મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

Join Our WhatsApp Community

નોંધનીય છે કે NTCની મુંબઈમાં 11 મિલો છે. આ મિલોની જગ્યાઓ પર ચાલીની હાલત અત્યંત દયનીય બની છે. મુંબઈ મહાનગરપાલિકાએ આ ચાલીઓને જોખમી જાહેર કરી છે. પરંતુ, આ ચાલીઓના પુનઃવિકાસ માટે કોઈ વ્યૂહરચના ન હોવાથી પુનઃવિકાસ અટકી પડ્યો હતો. પરંતુ, હવે આ ચાલીઓનો મ્હાડા દ્વારા પુનઃવિકાસ કરવામાં આવશે.

નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશન (NTC) એ મુંબઈના પ્રાઇમ એરિયામાં સ્થિત તેની નવ બંધ મિલોના પરિસરમાં રહેતા લોકોના પુનર્વસન માટે એક સમિતિની રચના કરી છે. રવિવારે આ માહિતી આપતાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે આ મિલોના પુનર્વિકાસને ઝડપી બનાવવામાં મદદ કરશે. મુંબઈમાં લગભગ એક ડઝન કોટન/ટેક્ષટાઈલ મિલો બંધ પડી છે અને હજારો લોકો હજુ પણ આ મિલ સંકુલોમાં ઝૂંપડીઓ અને ચાલમાં રહે છે.

આ સમાચાર પણ વાંચો:તમારા કામનું / પોસ્ટ ઓફિસની આ સ્કીમથી થઈ જશો માલામાલ, આવી રીતે ઉઠાવો લાભ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, NTC, MHADA અને MMRDA, મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને, શહેરમાં તેની નવ મિલ જમીનોના પુનર્વિકાસને ઝડપી બનાવવા માટે એક સમિતિની રચના કરી છે.

જો કે, કેન્દ્રીય મંત્રી એ સ્પષ્ટ નથી કર્યું કે રિડેવલપમેન્ટ માટે કઈ મિલોની પસંદગી કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું કે આ નવ મિલોમાં 1,860 ચાલ છે, જેમાં હજારો લોકો રહે છે અને સમિતિનું કામ માત્ર તેમનું પુનર્વસન કરવાનું છે અને તેનો પુનર્વિકાસ કરવાનું નથી. તેમણે કહ્યું કે આ નવ મિલોમાંથી પુનઃવિકાસ માટે 56,000 ચોરસ મીટર જમીન ઉપલબ્ધ થઈ શકે છે. તેમણે કહ્યું કે આ અંગે રિયલ્ટી કન્સલ્ટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડની પણ નિમણૂક કરવામાં આવી છે.

Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર
Exit mobile version