Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Landslide: ઘાટકોપરમાં મોડી રાત્રે થયું ભૂસ્ખલન, 10 થી 12 ઝૂંપડા કરાવાયા ખાલી; કોઈ જાનહાની નહીં..

Mumbai Landslide: હિમાલય સોસાયટી, વાલ્મિકી નગર, દાતાર કમ્પાઉન્ડ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈમાં ગોવિંદ નગરમાં ઝૂંપડાં પર ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે. સાવચેતીના પગલારૂપે 10-12 ઝૂંપડા ખાલી કરાવવામાં આવ્યા છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. બીએમસીએ કહ્યું કે કોઈ ઈજાના અહેવાલ નથી.

Mumbai Landslide Huts Vacated After Landslide Hits Netaji Road in Ghatkopar

Mumbai Landslide Huts Vacated After Landslide Hits Netaji Road in Ghatkopar

 News Continuous Bureau | Mumbai 

Mumbai Landslide: મુંબઈ ( Mumbai ) ના ઘાટકોપર ( Ghatkopar ) વિસ્તારમાં ભૂસ્ખલન ( Landslide )  થયું હોવાના અહેવાલ છે. જો કે સદનસીબે આમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. મુંબઈ મહાનગર પાલિકા ( BMC ) ના એક અધિકારીના જણાવ્યા મુજબ ઘાટકોપરના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલી હિમાલયા સોસાયટીમાં શુક્રવારે રાત્રે 9.15 કલાકે ભૂસ્ખલનની આ ઘટના બની હતી. અગમચેતીના પગલા તરીકે ઓછામાં ઓછા 10 થી 12 ઝૂંપડાઓને ખાલી ( Vacat ) કરાવવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ, વોર્ડ સ્ટાફ, 4 એમ્બ્યુલન્સ બચાવ કામગીરી માટે તૈનાત

મુંબઈના ઘાટકોપર (વેસ્ટ)ના ગોવિંદ નગરમાં આવેલી હિમાલયા સોસાયટીમાં 12 એપ્રિલે રાત્રે 9.14 કલાકે ભૂસ્ખલન થયું હતું. મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ, વોર્ડ સ્ટાફ, 4 એમ્બ્યુલન્સ, 2 અર્થમૂવર અને મજૂરો બચાવ કામગીરી માટે તૈનાત હતા. BMCએ કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે. N વોર્ડના એક નાગરિક અધિકારીએ જણાવ્યું હતું કે, “હિમાલય સોસાયટીની બાજુમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારમાં કેટલીક ઝૂંપડીઓ છે. અમે સલામતીના હેતુથી તરત જ કેટલાક ઝૂંપડામાંથી રહેવાસીઓને ખસેડ્યા છે. સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી અનુસાર, ધરાશાયી થયેલી ઝૂંપડીઓની અંદર કોઈ નથી. તેમ છતાં, વિસ્તારને દેખરેખ હેઠળ રાખવામાં આવશે.

  આ સમાચાર પણ વાંચો : Bullet Train : એપ્રિલ થી આ એક્સપ્રેસ ગાંધીનગરને બદલે અમદાવાદ થી દોડશે.

‘અર્બન ઈન્ડિયામાં ક્લાઈમેટ હેઝાર્ડ્સ માટે વિભેદક નબળાઈનું મૂલ્યાંકન’ અનુસાર, મુંબઈના લગભગ 70% ભૂસ્ખલન-સંભવિત વિસ્તારો અનૌપચારિક વસાહતોમાં આવે છે. એવું પણ જોવા મળે છે કે આ વસાહતોમાં જમીનની સપાટીનું તાપમાન (LST) પડોશી વિસ્તારો કરતાં 5-8 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. અહેવાલ મુજબ, શહેરમાં 287 ભૂસ્ખલન-સંભવિત સ્થળોમાંથી, 200 ઝૂંપડપટ્ટી અથવા અનૌપચારિક વસાહતોથી ઘેરાયેલા છે.

 

 

 

Chocolate Theft in Borivali: બોરીવલી સુપર માર્કેટમાંથી ₹12 હજારની ચોકલેટ ચોરનાર 19 વર્ષીય યુવક ઝડપાયો
Tension in Worli: ડીજે મ્યુઝિક વગાડવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ: રોષે ભરાયેલા કાર્યકરોએ વરલીમાં રસ્તા રોકીને ચક્કાજામ સર્જ્યો
Goa CM Photo Fraud:ગોવા CM સાથેના ફોટા બતાવી ઉદ્યોગપતિ સાથે ₹1.13 કરોડની છેતરપિંડી ઠગ ડોક્ટરની ધરપકડ
Thane Fake Tantrik Arrest: અંધશ્રદ્ધાના નામે ₹2.5 કરોડ પડાવનાર ઠગ તાંત્રિક ગોવાથી ઝડપાયો: થાણે ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા
Exit mobile version