Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Lilavati Hospital :મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલ કોની? કાળા જાદુ અને કરોડો રૂપિયાનું કૌભાંડ… જાણો શું છે સમગ્ર મામલો..

Mumbai Lilavati Hospital :મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલમાં 1250 કરોડ રૂપિયાના ઉચાપતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. હોસ્પિટલ ટ્રસ્ટે ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ, સાધનો સપ્લાયર્સ અને વિક્રેતાઓ વિરુદ્ધ કથિત ઉચાપત બદલ FIR નોંધાવી છે. 7 ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ સહિત કુલ 17 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ FIR નોંધાઈ છે.

Mumbai Lilavati Hospital The alleged Rs 1,250 cr fraud at Mumbai’s Lilavati Hospital here’s what happened

Mumbai Lilavati Hospital The alleged Rs 1,250 cr fraud at Mumbai’s Lilavati Hospital here’s what happened

News Continuous Bureau | Mumbai

Mumbai Lilavati Hospital : મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલ કોણ નથી જાણતું, અહીં સૈફ અલી ખાન સહિત અનેક સેલિબ્રિટીઓ પોતાની સારવાર કરાવે છે. આ હોસ્પિટલ શહેરના હૈ પ્રોફાઇલ વ્યક્તિઓ માટે પસંદગીઓમાંની એક છે. દરમિયાન લીલાવતીનું સંચાલન કરતા ચેરિટેબલ ટ્રસ્ટે એક એવો આરોપ લગાવ્યો છે જે ચોંકાવનારો છે, તેથી તે ફરીથી સમાચારમાં છે. 

Join Our WhatsApp Channel

Mumbai Lilavati Hospital :બાંદ્રા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદો દાખલ 

મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈના લીલાવતી હોસ્પિટલ ટ્રસ્ટે તેના સાત ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને સાધનો સપ્લાયર્સ અને વિક્રેતાઓ સહિત 17 લોકો સામે FIR દાખલ કરી છે. છેલ્લા 20 વર્ષમાં 1250 કરોડ રૂપિયાના ઉચાપતના આરોપમાં FIR દાખલ કરવામાં આવી છે. મોટાભાગના આરોપીઓ દુબઈ અને બેલ્જિયમમાં રહે છે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહ (જે હાલમાં લીલાવતી હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે) એ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ટ્રસ્ટના કથિત ગેરકાયદેસર ટ્રસ્ટીઓએ અગાઉના ટ્રસ્ટના નિયંત્રણ દરમિયાન ગેરરીતિઓ કરી હતી. 

Mumbai Lilavati Hospital : ફોરેન્સિક ઓડિટમાં અનિયમિતતાઓ બહાર આવી

2024માં કિશોર મહેતાના અવસાન પછી, તેમના પુત્ર પ્રશાંત મહેતા કાયમી ટ્રસ્ટી બન્યા. પ્રશાંતે ખાતાઓનું ફોરેન્સિક ઓડિટ કરાવ્યું, જેમાં નકલી ઓર્ડર અને રેકોર્ડ દ્વારા ઉચાપત સહિત અનેક મોટી નાણાકીય ગેરરીતિઓ બહાર આવી. હોસ્પિટલના નાણાકીય રેકોર્ડના તાજેતરના ફોરેન્સિક ઓડિટ પછી આ મોટા પાયે છેતરપિંડી પ્રકાશમાં આવી.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ સંદર્ભમાં, લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ (LKMMT) દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હોસ્પિટલ પરિસરમાં ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને સંબંધિત વ્યક્તિઓ દ્વારા કાળો જાદુ કરવામાં આવતો હતો.  મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટીઓએ દાવો કર્યો છે કે હોસ્પિટલ કેમ્પસમાં કાળા જાદુની વિધિઓ કરવામાં આવતી હોવાના પુરાવા મળ્યા છે. તેમના મતે, વર્તમાન ટ્રસ્ટીઓની ઓફિસના ફ્લોર નીચેથી આઠ કળશ મળી આવ્યા છે જેમાં માનવ હાડકાં, ખોપરી, વાળ, ચોખા અને તાંત્રિક પ્રથાઓ સાથે સંબંધિત અન્ય વસ્તુઓ છે. 

આ સમાચાર પણ વાંચો : Blood Rain Video : અહો આશ્ચર્યમ… અહીં આકાશમાંથી પડ્યો લોહીનો વરસાદ, વિચિત્ર દૃશ્ય જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા! જુઓ વિડીયો…

Mumbai Lilavati Hospital :લીલાવતી હોસ્પિટલના માલિક કોણ છે?

લીલાવતી હોસ્પિટલની સ્થાપના 1997 માં લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ હોસ્પિટલ તમામ ક્ષેત્રોના લોકોને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે બનાવવામાં આવી હતી. આ હોસ્પિટલનું નામ હીરા ઉદ્યોગના જાણીતા ઉદ્યોગપતિ કીર્તિલાલ મહેતાની માતા લીલાવતી મહેતાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. કીર્તિલાલ મહેતા જેમ્બેલ ડાયમંડ્સના સ્થાપક હતા, જે વિશ્વભરમાં શાખાઓ ધરાવતું વૈશ્વિક હીરા સામ્રાજ્ય છે. વ્યવસાય પ્રત્યેના તેમના જુસ્સા અને પરોપકાર પ્રત્યેના સમર્પણને કારણે તેમણે લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટની રચના કરી, જે હોસ્પિટલના સંચાલનને ટેકો આપે છે. તેમનો પરિવાર તેમના વારસાને આગળ ધપાવી રહ્યો છે, આ હોસ્પિટલ ભારતની અગ્રણી આરોગ્ય સંભાળ સંસ્થાઓમાંની એક છે.

Mumbai Local Megablock મુંબઈકર માટે રાહતના સમાચાર રવિવારે મુંબઈ લોકલમાં કોઈ મેગાબ્લોક નહીં, ટ્રેનો સમયસર દોડશે
Mumbai Metro Line 3 Connectivity મેટ્રો 3 માં મુસાફરી દરમિયાન હવે ઇન્ટરનેટ કપાશે નહીં, એક્વા લાઇન પર વોડાફોન આઈડિયા (Vi) ની સીમલેસ નેટવર્કની સુવિધા શરૂ
ThaneAiroli Connectivity થાણે ઐરોલીનું નવું કનેક્ટિવિટી મોડલ ખાડીપુલથી મુસાફરીનો સમય ઘટશે, ઈંધણની પણ થશે બચત
Public Transport Day Impacted BKC માં ‘જાહેર પરિવહન દિવસ’ પર બેસ્ટના સંપનું ગ્રહણ મુસાફરોની ભારે હાલાકી
Exit mobile version